રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા4 ઑગસ્ટ, 2025| Super Admin

થરાદ થી સોમનાથ માટે શ્રાવણ મહિનામાં ખાસ બસ સેવા શરૂ કરવામાં આવી

થરાદ થી સોમનાથ માટે શ્રાવણ મહિનામાં ખાસ બસ સેવા શરૂ કરવામાં આવી

થરાદ એસટી ડેપો દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન થરાદથી સોમનાથ સુધી ખાસ બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ સેવા દર રવિવારે સાંજે 4 વાગ્યે થરાદથી ઉપડશે. સોમવારે સવારે 6 વાગ્યે સોમનાથ પહોંચશે. ડેપો મેનેજરએ જણાવ્યું કે આ સેવા થરાદના લોકોની ભારે માંગને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. સોમનાથ મંદિરના દર્શન કરવા ઇચ્છતા ભક્તો માટે આ સેવા ખૂબ ઉપયોગી સાબિત થશે. પવિત્ર શ્રાવણ મહિનામાં જનતાને લાભ મળે તે હેતુથી આ બસ સેવાનું આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરો માટે સરળતા રહે તે માટે ટિકિટ ઓનલાઈન બુક કરાવવાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. થરાદથી સોમનાથ સુધીની યાત્રાનું ભાડું ₹410 રાખવામાં આવ્યું છે. ડેપો મેનેજરે જનતાને આ નવી બસ સેવાનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે. આ સેવા થરાદના લોકો માટે સોમનાથ મંદિરના દર્શન કરવા માટે સરળ અને સુવિધાજનક વિકલ્પ પૂરો પાડશે.

સંબંધિત સમાચાર