રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
મહેસાણા12 મે, 2026| Super Admin

વડનગરના શાહપુરમાં ખનીજ માફિયાઓ પર તરાપ, ₹65 લાખનો મુદ્દામાલ જપ્ત

વડનગરના શાહપુરમાં ખનીજ માફિયાઓ પર તરાપ, ₹65 લાખનો મુદ્દામાલ જપ્ત

જિલ્લામાં ભૂમાફિયાઓ વિરુદ્ધ લાલ આંખ કરતા ખાણ-ખનીજ વિભાગે વડનગર તાલુકાના શાહપુર ગામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગામની સીમમાં આવેલી ખાનગી જમીનમાં ચાલી રહેલા ગેરકાયદે ખાણકામનો પર્દાફાશ કરી અધિકારીઓએ લાખોની કિંમતના વાહનો જપ્ત કર્યા છે.

મહેસાણા જિલ્લા ખાણ-ખનીજ અધિકારી પ્રતીક શાહને ચોક્કસ માહિતી મળી હતી કે, વડનગરના શાહપુર ગામે કરબટીયા રોડ પર આવેલી એક ખેડૂતની ખાનગી જમીનમાં કોઈપણ મંજૂરી વિના ગેરકાયદેસર માટીનું ખનન કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર દિલીપ રબારી અને તેમની ટીમે ઓચિંતી રેડ પાડી હતી.

ખાણ-ખનીજ વિભાગની આ કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળેથી ખનન કાર્યમાં રોકાયેલું એક લોડર મશીન, એક માટી ભરેલું ડમ્પર સહિત ટીમે આ બંને વાહનો મળી કુલ ₹65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ખાનગી જમીનમાંથી મોટા પાયે માટી ઉલેચી લેવામાં આવી હતી. વિભાગ દ્વારા ઘટનાસ્થળે ખોદકામ કરવામાં આવેલા ખાડાઓની ઊંડાઈ અને વિસ્તારની ચોક્કસ માપણી હાથ ધરવામાં આવી છે. આ માપણીના આધારે સરકારની તિજોરીને થયેલા નુકસાનનો અંદાજ લગાવી ડમ્પર અને મશીન માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે. આગામી દિવસોમાં આ મામલે કડક દંડ વસૂલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ખનીજ વિભાગની આ આક્રમક કામગીરીથી પંથકના ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સંબંધિત સમાચાર