રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહારના કટિહારમાં થયેલા માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમાર બંનેએ મૃતકોના પરિવારજનો અને ઘાયલોને વળતરની જાહેરાત કરી છે.
આ અકસ્માત અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, કે"બિહારના કટિહારમાં માર્ગ અકસ્માતમાં લોકોના મોતના સમાચાર અત્યંત દુઃખદ છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને પ્રાર્થના કરું છું કે ઘાયલ થયેલા તમામ લોકો જલ્દી સ્વસ્થ થાય."
પીએમ મોદીએ કહ્યું, કે "બિહારના કટિહારમાં થયેલ અકસ્માત અત્યંત પીડાદાયક છે. અમે તેમના પ્રિયજનો ગુમાવનારા તમામ લોકો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. પીએમએનઆરએફમાંથી દરેક મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે."
રાષ્ટ્રપતિ મુર્મુ, પીએમ મોદી અને સીએમ નીતિશ કુમારે બિહારના કટિહારમાં થયેલા માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયસરકાર નવા PNG કનેક્શન પર કંપનીઓને 200 SCM સસ્તો ગેસ આપશે
12 કલાક પહેલા
રાષ્ટ્રીયખાનગી શાળાના બાથરૂમમાં 1.5 ફૂટ લાંબા સાપે ત્રીજા ધોરણના વિદ્યાર્થીને કરડ્યો! તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો!
13 કલાક પહેલા
રાષ્ટ્રીયNEET પેપર લીક પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ; NTA ની પરીક્ષા પ્રણાલી પર સવાલ ઉઠાવ્યા, કેન્દ્રનો જવાબ માંગ્યો
15 કલાક પહેલા
રાષ્ટ્રીયCNG પંપ પર વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત, પાંચ ઘાયલ
15 કલાક પહેલા
