રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય23 મે, 2025| Super Admin

POCSO દોષિત ઠેરવવામાં SCએ ઉદારતા દાખવી, પીડિતા સાથે લગ્ન કરેલા દોષિતને સજા ફટકારવાનું ટાળ્યું

POCSO દોષિત ઠેરવવામાં SCએ ઉદારતા દાખવી, પીડિતા સાથે લગ્ન કરેલા દોષિતને સજા ફટકારવાનું ટાળ્યું

(જી.એન.એસ) તા. 23

નવી દિલ્હી,

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે POCSO એક્ટ હેઠળ દોષિત વ્યક્તિને સજા આપવાનો ઈનકાર કરતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ નિર્ણયે POCSO એક્ટમાં એક નવો વળાંક લાવ્યો છે. સજા ન આપવા પાછળનું કારણ પીડિતાની સહમતિ દર્શાવ્યું છે.

આ કેમ બાબતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પીડિતાએ ક્યારેય આ ઘટનાને ગુનાના રૂપે જોઈ નથી. 2012માં એક 14 વર્ષીય સગીરાએ પોતાની મરજીથી 25 વર્ષના યુવક સાથે લગ્ન કર્યા હતાં. બાદમાં સગીરાની માતાએ યુવક વિરૂદ્ધ અપહરણ અને બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો. યુવકને આ કેસ હેઠળ 2022માં 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ ગુનેગાર યુવકે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. 

આ સાથેજ સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક તેમ પણ કહ્યું હતું કે, પીડિતા આરોપીને સજાથી બચાવવા માટે પોલીસ અને કોર્ટ સામે સતત સંઘર્ષ કરતી રહી. આ મામલો માત્ર એક કાયદાકીય ચર્ચા નહીં, પરંતુ સમાજનું પ્રતિબિંબ છે. જે આપણી ન્યાય પ્રણાલીની ખામીઓને ઉજાગર કરે છે. પીડિતાને સૌથી વધુ નુકસાન આપણા કાયદા, સમાજ અને પરિવારે કરાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે દેશના બંધારણના અનુચ્છેદ 142 હેઠળ વિશેષ શક્તિઓનો પ્રયોગ કરી આરોપીને સજા ન આપવાનો નિર્ણય લીધો છે. કોર્ટે કહ્યું કે, જ્યારે આ ઘટના બની હતી, ત્યારે સગીરાને સ્વતંત્રપણે નિર્ણય લેવાની તક મળી ન હતી. કારણકે, તેને પરિવારે, સમાજે અને કાયદાએ પહેલાંથી જ દોષિત ઠેરવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કોલકાતા હાઈકોર્ટની ટીપ્પણીઓની ટીકા કરી હતી. કોલકાતા હાઈકોર્ટે સગીરાઓને યૌન ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવા સલાહ આપી હતી. તેમજ પીડિતાને શરમમાં મૂકતા રૂઢિવાદી ગણાવી હતી.  



Source link

સંબંધિત સમાચાર