રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા17 જૂન, 2025| Super Admin

ડીસામાં રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ડીસામાં રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ડીસા શહેરમાં આગામી 27 જૂનને અષાઢી બીજના દિવસે નિકળનારી ભગવાનશ્રી જગન્નાથજીની 27 મી રથયાત્રા પૂર્વે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ડીસા શહેર  દક્ષિણ પોલીસ મથકના પી.આઈ., પી.એસ.આઈ. તથા પોલીસ સ્ટાફ સાથે સુભાષચંદ્ર બોઝ જગન્નાથજી રથયાત્રા સમિતિ અને શહેરના વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા સંસ્થાના અને રાજકીય, સામાજિક આગેવાનો, આર.એસ.એસ.અને વિહીપના પદાધિકારીઓ તથા મુસ્લિમ સમાજના અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા. આ બેઠકની શરૂઆતમાં અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ રથયાત્રા બાબતે પોલીસ તરફથી સંકલન હાથ ધરી શાંતિપૂર્ણ રીતે રથયાત્રા સંપન્ન કરવા માટે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ રથયાત્રા પૂર્વે રખડતા ઢોર, રસ્તા ઉપરના ખાડાઓ, વીજ વાયરો, વૃક્ષની ડાળીઓ વગેરે બાબતો ચકાસી જે તે વિભાગ દ્વારા તકેદારી માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સંકલન કરવામાં આવ્યું હતુ.

સંબંધિત સમાચાર