રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
સાબરકાંઠા13 માર્ચ, 2025| Super Admin

હોળી તહેવાર નિમિત્તે ગુજરાત થી રાજસ્થાન મુસાફરોની સંખ્યામાં વધારો

હોળી તહેવાર નિમિત્તે ગુજરાત થી રાજસ્થાન મુસાફરોની સંખ્યામાં વધારો

હોળીના તહેવાર નિમિત્તે ગુજરાતથી રાજસ્થાન જતા મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. બુધવારે રાત્રે હિંમતનગર રેલવે સ્ટેશન પર અસારવા-જયપુર ટ્રેનમાં અસહ્ય ભીડને કારણે 15થી વધુ મુસાફરોએ તેમની ટિકિટ પરત કરવી પડી હતી. અસારવાથી જયપુર, ઉદેપુર અને ઇન્દોર જતી નિયમિત ટ્રેનો દરરોજ ચાલી રહી છે. રાત્રે 9:20 કલાકે હિંમતનગર પહોંચતી અસારવા-જયપુર ટ્રેનમાં માત્ર ચાર જનરલ કોચ છે. બે કોચ આગળ અને બે પાછળના ભાગમાં જોડવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી આ કોચમાં મુસાફરો માત્ર બેસીને જ નહીં, પરંતુ ઊભા રહીને અને દરવાજામાં લટકીને પણ મુસાફરી કરી રહ્યા છે. જોકે, ભીડને કારણે મોટાભાગના મુસાફરો ટ્રેનમાં પ્રવેશી શક્યા નહીં. જે મુસાફરો ટ્રેનમાં ચડી શક્યા તેઓ જીવના જોખમે મુસાફરી કરતા જોવા મળ્યા હતા. ટિકિટ ધરાવતા છતાં ટ્રેનમાં ન બેસી શકેલા મુસાફરોએ ટિકિટ પરત કરી અને બસ મારફતે રાજસ્થાન જવાનું પસંદ કર્યું. હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે સ્પેશિયલ ટ્રેન દોડાવવી જોઈએ અથવા વર્તમાન ટ્રેનમાં વધારાના જનરલ કોચ ઉમેરવા જોઈએ તેવી માંગ ઊઠી છે.  

સંબંધિત સમાચાર