માળીયા (મીયાણા)માં સરકારી અનાજના ગોડાઉનમાંથી થયેલી ચોરીના કેસમાં પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે. પીઆઇ અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતાં મૂળ મધ્યપ્રદેશના અને હાલ મોરબીના યમુનાનગરમાં રહેતા શિવરાજસિંગ કાલીચરન રાજપૂત તેમજ રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા રાહુલ પૂજારામ રાજપૂતને પકડી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 11 ગુણી ચોખા, 4 ગુણી ઘઉં, બે મોબાઈલ અને એક ઇકો ગાડી સહિત કુલ ₹4,42,750નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સરકારી ગોડાઉનમાંથી ચોરી કરેલું અનાજ ખુલ્લા બજારમાં વેચી દેતા હતા. આ કેસમાં શનાળા પાસે રહેતા રમેશભાઈ નામના ત્રીજા આરોપીની સંડોવણી પણ બહાર આવી છે, જેની હજુ શોધખોળ ચાલુ છે. આ પ્રકરણમાં જો પુરવઠા વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી; સરકારી અનાજના ગોડાઉનમાંથી ચોરીના કેસમાં પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા

સંબંધિત સમાચાર
ગુજરાતગુજરાતમાં 17 મેથી સ્વ-ગણતરી શરૂ થશે, 1 જૂનથી ઘરગથ્થુ ગણતરી; 33 પ્રશ્નો પૂછવામાં આવશે
2 દિવસ પહેલા
ગુજરાતપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 'સોમનાથ અમૃત મહોત્સવ'માં હાજરી આપશે, વડોદરામાં છાત્રાલયનું ઉદ્ઘાટન કરશે
4 દિવસ પહેલા
ગુજરાતએક જ પરિવાર ચાર લોકોએ કેનાલમાં કૂદી જીવન ટૂંકાવ્યું
4 દિવસ પહેલા
ગુજરાતસુરત બેંક લૂંટ કેસ: હથિયાર રિકવરી દરમિયાન આરોપીનું ફાયરિંગ, પોલીસે વળતા જવાબમાં પગે ગોળી મારી
6 દિવસ પહેલા
