ડિજિટલ યુગમાં ઓનલાઈન છેતરપિંડીના વધતા કિસ્સાઓ વચ્ચે અરવલ્લી-મોડાસા સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે. 'તેરા તુજકો અર્પણ' અભિગમ હેઠળ પોલીસે સરાહનીય કામગીરી કરીને સાયબર ફ્રોડનો ભોગ બનેલા સાત નિર્દોષ નાગરિકોના ફસાયેલા કુલ ₹6,08,554/- પરત અપાવ્યા છે. અરજદારોએ નાણાં ગુમાવ્યાની ફરિયાદ કર્યા બાદ સાયબર પોલીસે ત્વરિત એક્શન લઈ બેંક ખાતાઓ ટ્રેસ કર્યા હતા અને છેતરપિંડી કરનારાઓ દ્વારા ટ્રાન્સફર કરાયેલી રકમ હોલ્ડ કરાવી દીધી હતી. આજે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી આ સમગ્ર રકમ મૂળ માલિકોના બેંક ખાતામાં જમા કરાવાતાં ભોગ બનનાર પરિવારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેમણે પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.
મોડાસા સાયબર સેલની મોટી સફળતા: છેતરાયેલા સાત અરજદારોના ₹6.08 લાખ ખાતામાં પાછા અપાવ્યા

સંબંધિત સમાચાર
અરવલ્લીઅરવલ્લીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલઆંખ: નકલી એનાલોગ પનીર સામે સઘન તપાસનો ધમધમાટ
2 દિવસ પહેલા
અરવલ્લીઇડરના વેરાબર પાસે ઓવરલોડ ડમ્પરની ટક્કરે વાનના ફાચડા: બે ગંભીર, તંત્ર સામે આક્રોશ
2 દિવસ પહેલા
અરવલ્લીઇડરમાં મનરેગાનો મસ્ટર કારકુન લાંચ લેતા ઝડપાયો
5 દિવસ પહેલા
અરવલ્લીશામળાજીમાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે 9 ST બસોનું લોકાર્પણ
5 દિવસ પહેલા
