રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
મહેસાણા19 જુલાઈ, 2025| Super Admin

મહેસાણા; ગેરકાયદેસર ખનીજ ચોરીમાં 19 ડમ્પર સહિત એક હિટાચી મશીન જપ્ત

મહેસાણા; ગેરકાયદેસર ખનીજ ચોરીમાં 19 ડમ્પર સહિત એક હિટાચી મશીન જપ્ત

ગત ગુરુવારની સાંજે મહેસાણા ખાણ ખનીજ અને વિજાપુર પોલીસ સહિત મામલતદારની સંયુક્ત ટીમે વિજાપુર તાલુકાના સંગપુર ગામની સીમમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ખનીજ માફીયાઓના 19 ડંપર અને એક હિટાચી મશીન પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ખાણખનીજ વિભાગની કડક કાર્યવાહીના કારણે મહેસાણા જિલ્લાના ખનીજ માફિયાઓમાં રીતસરનો ફફડાટ વ્યાઈ ગયેલો જોવા મળી રહ્યો છે. જેમ બીજા જિલ્લાઓમાં સંયુક્ત ટીમો બનાવી અને રેડ કરવામાં આવે છે તેવી જ રીતે મહેસાણા જિલ્લામાં પહેલ કરવામાં આવી છે, આવી પહેલ જો આખા જિલ્લામાં કરવામાં આવે તો ઘણા ગેરકાયદેસર ધંધા કરવાવાળા અને ખનીજ માફિયાઓ સીધા દોર થઈ શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે મહેસાણા જિલ્લાની અંદર ભૂમાફિયાઓની અસામાજિક પ્રવૃત્તિઓને નાથવા તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની સંયુક્ત ટીમ બનાવી એક આખી સ્કોડની નવી ટીમ ઊભી કરી સમગ્ર મહેસાણા જિલ્લામાં કાર્યવાહી કરવી જોઈએ જેનાથી ખનીજ માફિયાઓ ભુગર્ભ ઉતરી જશે અને ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરીને અટકાવી શકાશે. સમગ્ર મહેસાણા જિલ્લામાં ભૂમાફિયાઓ દિવસેને દિવસે કાયદાનો ડર રાખ્યાં વગર જ નદીઓમાં રેતીનું ખનન અને જંગલ પહાડોમાં ખનિજનું ગેરકાયદેસર રીતે ખનીજનું ખનન કરતા આવ્યા છે ત્યારે હવે એ સમય આવી ગયો છે કે આવા પ્રકૃતિને નુકશાન કરી માનવ જાતને નુકશાન કરતાં અસામાજિક તત્વો પર કાયદાનું ચાબુક ચાલે અને આવા ખનન કરનારા ભુમાફિયાઓ ખરા અર્થમાં ભૂગર્ભમાં ઉતરી જાય તેવા કડકમાં કડક પગલા લેવા માટે લોક માગ પણ ઉઠવા પામી છે.

સંબંધિત સમાચાર