રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાષ્ટ્રીય30 એપ્રિલ, 2026| Super Admin

મધ્યપ્રદેશના જબલપુરમાં મોટો અકસ્માત: બરગી ડેમમાં ક્રુઝ શિપ પલટી, 30 લોકો સવાર, અત્યાર સુધીમાં 4 લોકોના મોત

મધ્યપ્રદેશના જબલપુરમાં મોટો અકસ્માત: બરગી ડેમમાં ક્રુઝ શિપ પલટી, 30 લોકો સવાર, અત્યાર સુધીમાં 4 લોકોના મોત

મધ્યપ્રદેશના જબલપુરથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. ગુરુવારે જબલપુરના પ્રખ્યાત બરગી ડેમમાં એક ક્રુઝ શિપ ડૂબી ગઈ. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. ગુરુવારે ખમરિયા ટાપુ નજીક આ અકસ્માત થયો હતો જ્યારે પ્રવાસીઓને લઈ જતું એક ક્રુઝ શિપ બરગી ડેમમાં ડૂબી ગયું હતું. પ્રારંભિક માહિતી અનુસાર, તેમાં 30 થી વધુ લોકો સવાર હતા. જોરદાર વાવાઝોડાને કારણે ક્રુઝ શિપ સંતુલન ગુમાવી બેઠું અને ડૂબી ગયું હતું.

જબલપુરમાં થયેલા આ દુ:ખદ અકસ્માત અંગે પોલીસે માહિતી આપી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ક્રુઝ શિપ અચાનક આવેલા તોફાનને કારણે પલટી ગયું હતું. તે સમયે લગભગ 35-40 લોકો તેમાં સવાર હતા. અત્યાર સુધીમાં ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે. 18 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. 15 થી 18 લોકો હજુ પણ ગુમ હોવાનું જાણવા મળે છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગુમ થયેલા લોકોને શોધવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે.

સંબંધિત સમાચાર