થરાદ તાલુકાનાં ભાચર ગામના, એક યુવાન કાવડિયા, પોતાની અતૂટ શ્રદ્ધા અને ભક્તિ સાથે હરિદ્વારથી પગપાળા પાવન ગંગાજળ લઈને અંદાજે 1200 કિમી ની પદયાત્રા કરી પોતાના ગામ તરફ પરત નિકળ્યો છે. અસહ્ય ગરમી, માર્ગની થકાવટ અને અસંખ્ય ચૅલેન્જ છતાં, ભક્તિથી ભરેલું તેનું મન કોઈ અવરોધ માનતું નથી. છતાં પણ 1150 કિમીની પગપાળા કાવડયાત્રા કરી આજે 41 મા દીવસે પાંથાવાડા પહોંચ્યા હતા.પાંથાવાડાના સેવાપ્રેમી લોકો તેમજ આસ્થા હોસ્પિટલના ડૉ.રમેશભાઈ સહીત મોટી સંખ્યામાં પદયાત્રી હરેશભાઈ ચૌધરીનુ ફુલહાર અર્પણ કરી ભવ્ય સ્વાગત કર્યું હતું. આ બાબતે કાવડ યાત્રી હરેશ ચૌધરીએ જણાવ્યું કે આ કાવડ યાત્રા માત્ર એક યાત્રા નથી – તે એક સંકલ્પ છે, એક તપ છે. દરેક પગલાં સાથે "બમ બમ ભોલે!"ના નાદ સાથે તે લોકકલ્યાણની લાગણીને જીવંત કરી રહ્યો છે. લોકો મારા આધ્યાત્મિક ઉત્સાહ અને આત્મ વિશ્વાસથી પ્રભાવિત થઈ રહ્યા છે. રસ્તામાં મળતા સેવાભાવી લોકો પાસેથી તેમને પાણી, ફળ અને આરામની વ્યવસ્થા પણ મળી રહી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હરિદ્વાર હરકીપેડીથી ગંગાજળ લઈ 45 મા દીવસે શ્રાવણ માસના પ્રારંભ દીવસે પોતાનાં માદરે વતન પહોંચી મહાદેવના શીવ લિંગ પર જળાભિષેક કરશે. તેમણે જણાવ્યું હતું કે "મારો હેતુ માત્ર ભોળેના દર્શન માટે માટે નથી, સમાજમાં ભક્તિ અને સંસ્કાર જાગૃત કરવાનો છે મને ઉજવણી કે પ્રસિદ્ધિની આશા નથી, પણ ભગવાન શિવ માટે અર્પણભાવથી યાત્રા કરી છે."
હરિદ્વારથી પગપાળા કાવડ યાત્રા, યુવાનની ઉમદા શ્રદ્ધા યાત્રા

ટેગ્સ:#pilgrimage#Community Support#Cultural Traditions#Devotion#Tharad Taluka#spiritual journey#Panthwada#Haridwar#Kavad Yatra#Faith Journey#Bhachar Village#Holy Ganga Water#Welcome Ceremony
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શાક માર્કેટમાં વિવાદનો વંટોળ: તંત્રના નિર્ણય સામે વેપારીઓએ બાયો ચઢાવી
3 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના પંથકમાં વિકાસની નવી રફ્તાર : બનાસ નદી પર સબમર્સીબલ બ્રિજનું વિધિવત પૂજન કરાયું
5 કલાક પહેલા
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
