રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય7 એપ્રિલ, 2026| Super Admin

"જો તમે બંગાળ તરફ જોશો તો તમને કડક જવાબ મળશે," રાજનાથ સિંહનો પાકિસ્તાનને સીધો સંદેશ

"જો તમે બંગાળ તરફ જોશો તો તમને કડક જવાબ મળશે," રાજનાથ સિંહનો પાકિસ્તાનને સીધો સંદેશ

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાનના તાજેતરના નિવેદનનો સીધો જવાબ આપ્યો છે. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે તેણે ઇતિહાસમાંથી શીખવું જોઈએ અને ભારતની સાર્વભૌમત્વને પડકારવાની ભૂલ ન કરવી જોઈએ.

રાજનાથ સિંહે કહ્યું કે, "પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન દ્વારા આપવામાં આવેલા નિવેદન અંગે, હું કહેવા માંગુ છું કે તેમણે એ ન ભૂલવું જોઈએ કે 55 વર્ષ પહેલાં 1971 માં, પાકિસ્તાને એક વખત બંગાળ તરફ નજર નાખવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ પાકિસ્તાન બે ભાગમાં વહેંચાઈ ગયું, એક પાકિસ્તાન બન્યું અને બીજું બાંગ્લાદેશ બન્યું હતું. વધુમાં તેમણે ચેતવણી આપી હતી કે જો પાકિસ્તાન ફરીથી બંગાળ પર નજર રાખવાનો પ્રયાસ કરશે તો તેના પરિણામો શું આવશે તે ભવિષ્ય જ કહેશે. સંરક્ષણ પ્રધાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર નિવેદનબાજી અને તણાવ વધી રહ્યો હોય તેવું લાગે છે.

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે શનિવારે ભારતને ચેતવણી આપી હતી કે ભવિષ્યમાં કોઈપણ દુ:સાહસનો સામનો કોલકાતા પર હુમલો કરવામાં આવશે. પોતાના વતન સિયાલકોટમાં પત્રકારો સાથે વાત કરતા, આસિફે કહ્યું,કે જો ભારત આ વખતે અમારા પર દોષારોપણ કરીને (લશ્કરી) કાર્યવાહી કરવાનો પ્રયાસ કરશે, તો અમે કોલકાતાને નિશાન બનાવીશું.

સંબંધિત સમાચાર