રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત25 જૂન, 2025| Super Admin

હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું; 23,884 પોલીસ રથયાત્રામાં ફરજ બજાવશે

હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું; 23,884 પોલીસ રથયાત્રામાં ફરજ બજાવશે

27 જુનના રોજ અમદાવાદ શહેરમાં રથયાત્રા નીકળવાની છે ત્યારે આ રથયાત્રાને લઈ મંદિર દ્વારા તેમજ વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, આજે ગુજરાત રાજયના ગૃહરાજય મંત્રી દ્વારા રથયાત્રા રૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે, હર્ષ સંઘવીનું કહેવું છે કે, આ રથયાત્રા યાદગાર રહેશે અને ભકતો સરળતાથી દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ રથયાત્રામાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભકતો આવતા હોય છે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, ગુજરાતની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં છે, અમદાવાદના જ નહી રાજ્યના અને દેશના લોકો આ રથયાત્રાના દર્શન કરવા માટે આવતા હોય છે. અને 16 કિમીનો રૂટ હોય છે, આ રથયાત્રામાં IG કક્ષાના પોલીસ અધિકારીઓ પણ હોય છે બંદોબસ્તામાં, 23,884 પોલીસ રથયાત્રામાં ફરજ બજાવશે. રથયાત્રાના રૂટ પર 227 કેમેરા અલગ-અલગ એજન્સીના છે, ખાનગી કેમેરા પણ ચાલુ છે, આ કેમેરાની ફીડ પોલીસ કમિશનરના કંટ્રોલ રૂમમાં મળે છે. 2872 બોડી ઓન કેમેરા હશે અને 240 પોઈન્ટ ધાબા પર છે, 25 વોચ ટાવર પણ રાખવામાં આવ્યા છે, બાળકો ગુમ થાય છે તે મળી આવે તે માટે બાળકોને પરિવાર સાથે મેળવવા માટે 17 જનસહાય કેન્દ્રો પણ બનાવાયા છે, ગત વર્ષે 65 જેટલા બાળકો મળી આવ્યા હતા જે રથયાત્રા દરમિયાન ખોવાયા હતા, પબ્લિક એડ્રેસ સિસ્ટમના 44 સેન્ટર રહેશે.

સંબંધિત સમાચાર