'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત હિંમતનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. કેશવ કોમ્પલેક્ષ કેનાલ રિવરફ્રન્ટ ખાતેથી શરૂ થયેલી આ વિશાળ તિરંગા યાત્રાને સાંસદ શોભનાબેન બારૈયા અને ધારાસભ્ય વી.ડી ઝાલાએ 'વંદે માતરમ', 'ભારત માતા કી જય'ના નારાઓ સાથે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા જણાવ્યું હતું કે, શહીદોએ દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે તેમનું બલિદાન આપણો ગૌરવ છે. તિરંગા યાત્રા તેમના સ્મરણને નમન કરવાનો અને રાષ્ટ્રીય એકતા, ભાઈચારો તથા દેશપ્રેમનો સંદેશ ફેલાવવાનો પવિત્ર અવસર છે. તિરંગાની શાન જાળવવી એ આપણું કર્તવ્ય છે. આ યાત્રામાં શહેરના અનેક લોકો હર્ષોલ્લાસ સાથે સામેલ થયા હતા. હાથમાં તિરંગા સાથે “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના નારાઓથી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગથી રંગી દીધું હતું. દેશભક્તિના ગીતો દ્વારા દરેક નગરવાસીઓના દિલમાં દેશભક્તિ જાગૃત કરવાનો સુંદર પ્રયાસ આ યાત્રા દ્વારા કરવામાં આવ્યો હતો. આ તિરંગા યાત્રા હિંમતનગર ખાતેના કેશવ કોમ્પલેક્ષ કેનાલ રિવરફ્રન્ટથી મહાવીરનગર ચાર રસ્તા થઈ છાપરિયા ચાર રસ્તા ખેડતસીયા રોડ, રામેશ્વર મંદિર થઈ, મોતીપુરા ગાંધી સર્કલ ખાતે પૂરી થઇ હતી. “હર ઘર તિરંગા...હર ઘર સ્વચ્છતા” અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા દરમિયાન નાગરિકોમાં દેશપ્રેમ તથા સ્વચ્છતાની ભાવના વિકસે તે હેતુસર ઉપસ્થિત મહાનુભાવો દ્વારા માર્ગોની સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો.
હર ઘર તિરંગા અભિયાન; હિંમતનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ શહેર દેશભક્તિના રંગે રંગાયુ

ટેગ્સ:#Public Participation#national unity#Har Ghar Tiranga#Har Ghar Swachhta#Vande Mataram#Himmatnagar Tiranga Yatra#Patriotism Campaign#MP Shobhanaben Baraiya#Swachhta Message#Citywide Celebration
સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા SOGની મોટી સફળતા: ૬ વર્ષથી નાસતો ફરતો પ્રોહિબિશનના ગુનાનો આરોપી હિંમતનગર ઝડપાયો
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર સિવિલ સર્કલથી દુર્ગા બજાર વચ્ચેના નવા બ્રિજ પર ચાર વિશાળ સ્ટીલ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં તિરંગા અને કળશયાત્રાનો માહોલ: 11થી 16 ઓગસ્ટ દરમિયાન ભાજપ વિશેષ કાર્યક્રમો યોજશે
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લા પંચાયતમાં ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ‘મહિલા નેતૃત્વ દિવસ’ની ભવ્ય ઉજવણી કરાઈ
1 અઠવાડિયા પહેલા
