રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા23 જૂન, 2025| Super Admin

પાલનપુરના ગોળા ગામે વીજળી પડતા ચાર દુધાળા પશુઓના મોત

પાલનપુરના ગોળા ગામે વીજળી પડતા ચાર દુધાળા પશુઓના મોત
પશુઓના આકસ્મિક મોતથી પરિવારની આજીવિકા છીનવાઈ; પાલનપુર તાલુકાના ગોળા ગામે રાત્રી દરમિયાન ભારે વરસાદ વચ્ચે અચાનક આકાશી વીજળી પડતાં એક પશુ પાલકના ચાર દુધાળા પશુના મોત થયા પરિવાર પર આભ તુટી પડવા પામ્યું છે પશુ પાલન કરીને પરીવારનું ગુજરાન ચલાવતા આ પશુપાલકોની આજીવિકા છીનવાઈ જતા તેને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. પાલનપુર પંથકમા રાત્રી દરમિયાન ભારે ગાજ વીજ સાથે વરસાદ પડ્યો હતો જેમાં ગોળા ગામે પશુ પાલનનો વ્યવસાય કરતા પશુ પાલક પરથીજી મોતીજી ઠાકોરના ખેતરમાં બાંધેલ ચાર દુધાળી ગાયો પર આકાશી વીજળી પડતાં આ ચાર પશુઓના મોત નીપજ્યા હતા જોકે પશુઓના મોતથી આ પરિવારે બે લાખ ઉપરાંતનું નુકશાન થવાની સાથે આજીવિકા છીનવાઈ જવાનો લઇ પરિવાર કફોડી હાલતમાં મુકાઇ જવા પામ્યા છે જેને લઇ આ અસરગ્રસ્ત પશુ પાલકને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવતા તલાટી દ્વારા ઘટનાનું પંચનામુ કરી વેટરનરી તબીબ અને મૃત પશુઓનું પીએમ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર