રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા19 ઑગસ્ટ, 2025| Super Admin

ડીસાના યાવરપુરામાં ખેડૂતો પર આભ ફાટ્યું : વરસાદી પાણીમાં લાખોનો મગફળીનો પાક નાશ પામ્યો

ડીસાના યાવરપુરામાં ખેડૂતો પર આભ ફાટ્યું : વરસાદી પાણીમાં લાખોનો મગફળીનો પાક નાશ પામ્યો
ડીસા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી  પડી રહેલા ધોધમાર વરસાદે યાવરપુરા ગામના ખેડૂતોની કમર તોડી નાખી છે. ગામના દસેક જેટલા ખેડૂતોના ઉભા મગફળીના પાકમાં વરસાદી પાણી ફરી વળતા લાખો રૂપિયાનો પાક ડૂબી ગયો છે, જેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એક પછી એક પાક નિષ્ફળ જવાથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી સહાય આપવાની માંગ કરી રહ્યા છે.યાવરપુરા ગામના ખેડૂત સુમેરસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, "અમે ઉનાળુ મગફળીની વાવણી કરી હતી, પરંતુ સતત વરસાદના કારણે તે પણ ખરાબ ગયો હતો. હવે ચોમાસુ મગફળીનો પાક સારો આવવાની આશા હતી, પરંતુ છેલ્લા બે દિવસના ભારે વરસાદને કારણે અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને ઉભો પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આનાથી અમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે." ​ખેડૂતોના જણાવ્યા અનુસાર, પાણી ભરાઈ જવાના કારણે મગફળીના છોડ પીળા પડી રહ્યા છે અને તેમાં સડો લાગવાની ભીતિ સેવાઈ રહી છે. જો આગામી દિવસોમાં પાણીનો નિકાલ નહીં થાય, તો જે કંઈ બચ્યું છે તે પણ નાશ પામશે, જેનાથી ખેડૂતોને કલ્પના પણ ન કરી શકાય તેટલું મોટું નુકસાન થશે.​આ કુદરતી આફતથી ખેડૂતો ભારે સંકટમાં મુકાઈ ગયા છે. એક તરફ મોંઘા બિયારણ, ખાતર અને મજૂરીનો ખર્ચ કર્યો છે, અને બીજી તરફ પાક નિષ્ફળ જતાં ખેડૂતો દેવાના ડુંગર તળે દબાઈ રહ્યા છે. યાવરપુરા સહિત આસપાસના અન્ય ગામોના ખેડૂતો પણ સમાન સમસ્યાનો સામનો કરી રહ્યા છે.​ખેડૂતોએ સરકાર પાસે આ બાબતે તાત્કાલિક ધ્યાન આપીને નુકસાનનો સર્વે કરવા અને ઝડપથી આર્થિક સહાય પૂરી પાડવા વિનંતી કરી છે. જો સમયસર સહાય નહીં મળે, તો ઘણા ખેડૂતો આર્થિક સંકડામણમાં ફસાઈ શકે છે અને તેમના પરિવારોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની જશે. સ્થાનિક પ્રશાસને ખેડૂતોની આ વેદનાને ધ્યાનમાં લઈને તાત્કાલિક અસરકારક પગલાં ભરવા જોઈએ. શું સરકાર ખેડૂતોની આ હાલાકી સાંભળીને તેમને સમયસર મદદરૂપ થશે ?

સંબંધિત સમાચાર