હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે લાઇન પર આવતીકાલે ઇલેક્ટ્રિક લોકો સ્પીડ ટ્રાયલ હાથ ધરવામાં આવશે. રેલવે વિભાગ દ્વારા આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ 55 કિલોમીટર લાંબી રેલવે લાઇનનું ગેજ કન્વર્ઝન કાર્ય પૂર્ણ થયા બાદ અગાઉ CRS અને ઇલેક્ટ્રિફિકેશન લોકો ટ્રાયલ પણ કરવામાં આવ્યો હતો. 8 જાન્યુઆરીના રોજ PCEE દ્વારા ઇલેક્ટ્રિફિકેશનનું નિરીક્ષણ અને સ્પીડ ટ્રાયલ કરાયો હતો. બે મહિનાથી વધુ સમય વીતી ગયા બાદ હવે બુધવારે ફરીથી ઇલેક્ટ્રિક લોકો સ્પીડ ટ્રાયલ થશે. અમદાવાદથી ઇલેક્ટ્રિક લોકો આવ્યા બાદ સવારે 11 વાગ્યાની આસપાસ હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધી આ ટ્રાયલ હાથ ધરવામાં આવશે. રેલવે વિભાગ દ્વારા આ અંગે સંબંધિત તમામ પક્ષોને જાણ કરવામાં આવી છે.
આવતીકાલે હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇન પર ઇલેક્ટ્રિક લોકો સ્પીડ ટ્રાયલ પરીક્ષણ કરાશે

સંબંધિત સમાચાર
સાબરકાંઠાખેડબ્રહ્મા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૨૦મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
3 દિવસ પહેલા
સાબરકાંઠાઐતિહાસિક ઈડરિયો ગઢ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી ઉજવણી
6 દિવસ પહેલા
સાબરકાંઠાપ્રાંતિજ પોલીસ એક્શન મોડમાં: ૧૭૫ ગ્રામ ગાંજા સાથે એક ઇસમ પકડાયો, NDPS હેઠળ ગુનો નોધાયો
1 અઠવાડિયા પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન: ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાયું
1 અઠવાડિયા પહેલા
