હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે લાઇન પર આવતીકાલે ઇલેક્ટ્રિક લોકો સ્પીડ ટ્રાયલ હાથ ધરવામાં આવશે. રેલવે વિભાગ દ્વારા આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ 55 કિલોમીટર લાંબી રેલવે લાઇનનું ગેજ કન્વર્ઝન કાર્ય પૂર્ણ થયા બાદ અગાઉ CRS અને ઇલેક્ટ્રિફિકેશન લોકો ટ્રાયલ પણ કરવામાં આવ્યો હતો. 8 જાન્યુઆરીના રોજ PCEE દ્વારા ઇલેક્ટ્રિફિકેશનનું નિરીક્ષણ અને સ્પીડ ટ્રાયલ કરાયો હતો. બે મહિનાથી વધુ સમય વીતી ગયા બાદ હવે બુધવારે ફરીથી ઇલેક્ટ્રિક લોકો સ્પીડ ટ્રાયલ થશે. અમદાવાદથી ઇલેક્ટ્રિક લોકો આવ્યા બાદ સવારે 11 વાગ્યાની આસપાસ હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધી આ ટ્રાયલ હાથ ધરવામાં આવશે. રેલવે વિભાગ દ્વારા આ અંગે સંબંધિત તમામ પક્ષોને જાણ કરવામાં આવી છે.
આવતીકાલે હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇન પર ઇલેક્ટ્રિક લોકો સ્પીડ ટ્રાયલ પરીક્ષણ કરાશે

સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠાના અંતરિયાળ ગામોમાં રક્તદાનની સરવાણી : ૩૧ યુનિટ રક્ત એકત્ર કર્યું
2 દિવસ પહેલા
સાબરકાંઠાતંત્ર સજ્જ : પ્રાંતિજ હાઈવે પર મોકડ્રિલ યોજાઈ, અકસ્માત સમયે બચાવ કામગીરીનું જીવંત નિદર્શન કરાયું
3 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં પેન્શનરોનો હલ્લાબોલ : વેલિડેશન એક્ટ 2025 ના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું
5 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં પેન્શનરોનો હલ્લાબોલ : વેલિડેશન એક્ટ 2025 ના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું
5 દિવસ પહેલા
