રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા24 જુલાઈ, 2025

ધાનેરામાં દશામાં વ્રતને લઈ ભક્તોનો ઉત્સાહ, બજારોમાં મેળા જેવો માહોલ

ધાનેરામાં દશામાં વ્રતને લઈ ભક્તોનો ઉત્સાહ, બજારોમાં મેળા જેવો માહોલ

દશામાંના વ્રતનો પ્રારંભ થતો હોવાથી આજે ધાનેરાની બજારોમાં દશામાંની મૂર્તિઓ અને “સાંઢણી” (દશામાંના વ્રતમાં ઉપયોગમાં લેવાતી ખાસ પ્રકારની માટીની પ્રતિકૃતિ) ખરીદવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આસપાસના ગામડાંઓમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દશામાંની સાંઢણી લેવા ઉમટી પડ્યા હતા, જેના કારણે ધાનેરામાં મેળા જેવો માહોલ સર્જાયો હતો. દશામાંના વ્રતનો પ્રારંભ અમાસના દિવસથી થતો હોવાથી ભક્તો આજે વહેલી સવારથી જ દશામાંની મૂર્તિઓ અને સાંઢણી ખરીદવા માટે ઉમટી પડ્યા હતા. બજારોમાં ઠેર-ઠેર દશામાંની મૂર્તિઓના સ્ટોલ લાગ્યા હતા, જ્યાં ભક્તો ભાવપૂર્વક ખરીદી કરતા જોવા મળ્યા હતા. ખાસ કરીને મહિલાઓમાં દશામાંના વ્રતને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વર્ષે પણ દશામાંનું વ્રત શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવાશે, ત્યારે ધાનેરા અને આસપાસના વિસ્તારોમાં ધાર્મિક વાતાવરણ છવાયું છે.

સંબંધિત સમાચાર