રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા30 જુલાઈ, 2025| Super Admin

ડીસા; 50 વર્ષથી ચીકણી માટીથી દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવી વર્ષો જૂની પરંપરા જાળવી રાખી

ડીસા; 50 વર્ષથી ચીકણી માટીથી દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવી વર્ષો જૂની પરંપરા જાળવી રાખી
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલ કુંભારવાસ ખાતે રહેતા પ્રજાપતિ પરિવાર છેલ્લા 50 વર્ષથી ચીકણી માટીથી પોતાના હાથે વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવે છે. તેમના દ્વારા બનાવવામાં આવતી મૂર્તિઓની માંગ ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાંથી પણ વધી રહી છે. બનાસકાંઠા જિલ્લાની ઘણી બધી વ્યક્તિઓ પોતાની કલાથી વિવિધ ચીજવસ્તુઓ બનાવે છે. વર્ષો પહેલા 30 થી વધુ પરિવારો ચીકણી માટીમાંથી અવનવી મૂર્તિઓ બનાવીને ગુજરાત અને રાજસ્થાનમાં ખેતી કરતાં. જોકે, છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના લોકો અન્ય વ્યવસાય તરફ વળ્યા છે. તેમ છતાં, આજે પણ અનેક પરિવારો તેમના હાથની કલાથી અવનવી ડિઝાઇનવાળી વિવિધ મૂર્તિઓ બનાવે છે. વર્ષો જૂની પરંપરા જાળવી રાખી; ડીસાના કુંભારવાસમાં રહેતા ચેતનાબેન શૈલેષભાઇ પ્રજાપતિનો પરિવાર વર્ષોથી ચીકણી માટીમાંથી વિવિધ મૂર્તિઓ બનાવવાના કાર્યમાં જોડાયેલો છે. આ પરંપરા આજે પણ ચાલુ છે. ચેતનાબેનનો પરિવાર અત્યારે પણ વિવિધ તહેવારોના પ્રસંગે વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓ ચીકણી માટીમાંથી બનાવે છે. પાટણના વાગડોદ ગામેથી તળાવની ચીકણી માટી લાવી છેલ્લા 50 વર્ષથી ગણપતિ, અંબે માતાજી, રાધા કૃષ્ણ, શંકર ભગવાન તેમજ દશામાની મૂર્તિઓ બનાવે છે. આવનારા જન્માષ્ટમી અને ગણપતિના તહેવારને લઈને તેઓ હાલમાં રાધાકૃષ્ણ અને ગણપતિની મૂર્તિઓ બનાવી રહ્યા છે. થોડા જ દિવસોમાં જન્માષ્ટમી અને ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે, જેથી આ પરિવાર હાલમાં ગણપતિ અને રાધા કૃષ્ણની મૂર્તિ બનાવવામાં વ્યસ્ત છે. એક મૂર્તિ બનાવવામાં 15 મિનિટનો સમય લાગે છે અને તેઓ રોજની 50 મૂર્તિઓ બનાવે છે.

સંબંધિત સમાચાર