ખેરાલુ શહેરમાં શિયાળાની ઠંડી અને લગ્નસરાની મોસમનો લાભ ઉઠાવી સક્રિય બનેલા તસ્કરો એક જ રાતમાં બાઈક અને મંદિરની દાનપેટીમાંથી રોકડ ચોરી ગયા હતા.પ્રથમ બનાવ લીંબચ માતાના મંદિર પાસે બન્યો હતો. શહેરના અખબાર વિતરક અશોકભાઈ મોદીનો પુત્ર એક મિત્રના લગ્ન પ્રસંગે યોજાયેલા રાસ-ગરબામાં હાજરી આપવા લીંબચ માતાની વાડીએ ગયો હતો. ત્યારે તેણે બહાર પાર્ક કરેલ બાઈક તસ્કરો ચોરી ગયા હતા. બીજી તરફ, તસ્કરોએ બહુચરાજી માતાના મંદિરને નિશાન બનાવ્યું હતું. મધરાત બાદ મંદિરમાં ત્રાટકેલા ચોરોએ મંદિર તેમજ બાજુમાં આવેલા શિવાલયની દાનપેટીના તાળાં તોડી રોકડ રકમની ઉઠાંતરી કરી હતી.પૂજારી પપ્પુભાઈ દવેએ પોલીસને જાણ કરતાં જણાવ્યું કે, અંદાજે 15 થી 20 હજારની રોકડ ચોરાઈ છે. જોકે, અન્ય કોઈ સામાનની ચોરી થઈ નથી. પોલીસે પુજારીના નિવેદન આધારે તપાસ હાથ ધરી છે.
ખેરાલુમાં બહુચરાજી માતાજીના મંદિરની દાનપેટીની રોકડ ચોરાઇ

સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની નિમણૂક : સોનલબેન ઓઝા શહેરના નવા મેયર
2 કલાક પહેલા
મહેસાણામહેસાણાના જંત્રાલ ગામની મહિલાની અમેરિકામાં લૂંટના ઇરાદે ગોળી મારીને કરપીણ હત્યા
2 કલાક પહેલા
મહેસાણામહેસાણા વાલ્મીકિ નગર વિવાદ: અન્ય કોર્ટમાં કેસ ટ્રાન્સફરની માંગ સાથે રહીશોની ભૂખ હડતાલની ચીમકી
3 કલાક પહેલા
મહેસાણામહેસાણામાં ખનીજ માફિયાઓનો બેફામ:ગેરકાયદે રેતીના ડમ્પરો પકડતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર પર હુમલો
1 દિવસ પહેલા
