વડનગર તાલુકાના શાહપુર (વડ) ગામે વર્ષો જૂની અદાવતની આંચ ફરી એકવાર હિંસક અથડામણમાં ફેરવાઈ છે. ગામમાં ચાલતી જૂની દુશ્મનાવટના કારણે ચાર શખ્સોએ હુમલો કરી ત્રણ લોકો પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ વડે તૂટી પડીને ત્રણ વ્યક્તિઓને લોહીલુહાણ કરી દીધા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે ભોગ બનનાર પક્ષે વડનગર પોલીસ મથકે ચાર શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
વડનગરના શાહપુર (વડ) ગામે લોહીયાળ જંગ: જૂની અદાવતમાં એક જ પરિવારના 3 લોકો પર જીવલેણ હુમલો

ટેગ્સ:#Vadnagar
સંબંધિત સમાચાર
મહેસાણાખતરાના સાયામો ભણતર: ઊંઝાની ઉમિયામાતા પ્રાથમિક શાળા નં.-4 જર્જરિત હાલતમાં
9 કલાક પહેલા
મહેસાણાઊંઝા APMC: મસાલાની આવકો ઘટવાના એંધાણ
9 કલાક પહેલા
મહેસાણાકડીના રાજપુરમાં કેમિકલયુક્ત લાલ પાણીનો ખતરો: ખેતી અને જનજીવન પર તોળાતું ભયંકર સંકટ
3 દિવસ પહેલા
મહેસાણામહેસાણા જિલ્લાના બહુચરાજીની તેજપુરા-કાનપુરા કેનાલ બ્રિજ જર્જરિત, મોટી દુર્ઘટનાનો ભય
3 દિવસ પહેલા
