બંધનું એલાન નિષ્ફળ; બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે ભાભરમાં રેલી યોજાઈ

શહેર સેવા સમિતિ દ્વારા રેલી બાદ મામલતદારને આવેદનપત્ર અપાયું: ગુજરાત સરકાર દ્વારા ગત ૧ જાન્યુઆરીના રોજ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવા વાવ- થરાદ જિલ્લાની રચના કરવામાં આવતા જિલ્લાના કેટલાક તાલુકાના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. વિરોધનો આ વંટોળ અત્યાર સુધીના શાંત ભાભરમાં પણ પહોંચ્યો છે. તેના પડઘા પડતા જિલ્લા વિભાજન મુદ્દે રાજકીય ઘમાસાણનો ખેલ જામ્યો છે.ભાભરનો વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવતા ભાભરને બનાસકાંઠા રાખવા અથવા અલગ ઓગડ જિલ્લો જાહેર કરી ઓગડ જિલ્લામાં સમાવેશ કરવા માટે ભાભર શહેર સેવા સમિતિ દ્વારા બેનરો લગાવી ભાભર બંધ રાખી વિરોધ દર્શાવવા આહવાન કરવામાં આવ્યું હતું.
પરંતુ સવારથી ભાભરની બજારો રાબેતા મુજબ ચાલુ રહેતા બંધનું એલાન નિષ્ફળ રહ્યું હતું. જો કે શહેર સેવા સમિતિના નેજા હેઠળ રેલી યોજાઈ હતી. તેમાં ભાભર તેમજ તાલુકાના આગેવાનો અને લોકો જોડાયા ન હતા. તેથી રેલીને પણ લોકોનું સમર્થન મળ્યું ન હતું એટલે ગણ્યા ગાંઠ્યા લોકો રેલીમાં જોવા મળ્યા હતા. રેલી બાદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતુ. આ રેલી શ્રીરામ સર્કલ દિયોદર ત્રણ રસ્તાથી પ્રસ્થાન કરીને શહેરના હાઈવે ઉપર ફરીને 'મારો જિલ્લો ઓગડ જિલ્લો' ના નારા સાથે મામલતદારને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભાભરના કેટલાક આગેવાનોએ વાવ થરાદ જિલ્લા સાથે સમર્થન જણાવતા મામલો ચગડોળે ચડ્યો હતો.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાવૈશાખી વાયરાનો કહેર: સરહદી પંથકમાં પવનની પંખે ચડી ધૂળની ડમરીઓ!
12 કલાક પહેલા
બનાસકાંઠાડીસા મામલતદાર કચેરી ખાતે ચકલી ઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ
13 કલાક પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇન લીકેજ: અફરાતફરી બાદ તંત્ર દોડતું થયું
13 કલાક પહેલા
બનાસકાંઠાજુનાડીસાના નવાપુરા વિસ્તારના લોકો દૂષિત પાણી પીવા મજબૂર, પંચાયત સામે રોષ
14 કલાક પહેલા
