રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
આંતરરાષ્ટ્રીય4 એપ્રિલ, 2025| Super Admin

અમેરિકાના ટેરિફ લગાવવા પર ચીને આપ્યો વળતો જવાબ, અમેરિકા પર 34 ટકા ટેરિફની જાહેરાત

અમેરિકાના ટેરિફ લગાવવા પર ચીને આપ્યો વળતો જવાબ, અમેરિકા પર 34 ટકા ટેરિફની જાહેરાત

(જી.એન.એસ) તા.4

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી એપ્રિલે દુનિયાભરના દેશો પર ટેરિફની જાહેરાત કર્યા બાદ જાણે વેપાર યુદ્ધની શરૂઆત થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. દુનિયાના મોટા ભાગના દેશોએ ટેરિફનો વિરોધ કર્યો છે તથા જવાબ આપવાની તૈયારી દર્શાવી છે. એવામાં હવે ચીને પણ અમેરિકા પર ટેરિફની જાહેરાત કરી છે.

અમેરિકાને ટેરિફ લગાવવા પર વળતો જવાબ આપવા માટે હવે ચીને 34 ટકા ટેરિફની સાથે નિકાસ પર નિયંત્રણની પણ જાહેરાત કરી છે. ચીન અમેરિકાને અત્યાર સુધી દુર્લભ ધાતુ જેવી કે સમારિયમ, ગેડોલીનીયમ, ટેરબિયમ આપતું હતું. જોકે ચોથી એપ્રિલથી આ તમામ દુર્લભ ધાતુની નિકાસ પર નિયંત્રણ કરવામાં આવશે. 

ચીન દ્વારા અમેરિકાની પ્રોડક્ટ્સ પર 34 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. ચીનના નાણાં વિભાગે કહ્યું છે કે અમેરિકાની સરકારે ચીની સામાન પર ટેરિફ લગાવતો છે જે આંતરરસહતરિય વેપાર નિયમોની વિરુદ્ધ છે અને અમારા અધિકારોનું હનન છે. આ પ્રકારની દાદાગીરી અમેરિકાના હિતોને જ નુકસાન પહોંચાડશે તથા સાથે સાથે વૈશ્વિક આર્થિક વિકાસ અને સપ્લાય ચેન સામે ખતરો ઊભો કરશે.’ ચીને અગાઉ અમેરિકાને અપીલ કરી હતી કે જે પણ મતભેદ હોય તેમનું વાતચીતના માધ્યમથી સમાધાન લાવવું જોઈએ. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર