રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
મહેસાણા19 માર્ચ, 2026| Super Admin

ઊંઝા મામલતદારની રાહુલ ગેસ એજન્સીની ઓચિંતી મુલાકાત: સંચાલકો સાથે સુરક્ષા અને વિતરણ અંગે સમીક્ષા

ઊંઝા મામલતદારની રાહુલ ગેસ એજન્સીની ઓચિંતી મુલાકાત: સંચાલકો સાથે સુરક્ષા અને વિતરણ અંગે સમીક્ષા
કોમર્શિયલ બાટલો ન મળતાં ખાણીપીણીની લારી વાળાઓ ધંધા બંધ કરવા મજબુર બન્યા ઉંઝા મામલતદાર દિપકભાઈ ગઢવી દ્વારા ઉંઝા રાહુલ ગેસ એન્ટરપ્રાઈઝની મુલાકાત લીધી હતી. જ્યાં સ્ટોકની ચકાસણી કરી ગ્રાહકોને પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરવામાં આવી હતી. અને ગેસ ગોડાઉનની મુલાકાત લીધી હતી. યુદ્ધને કારણે ગેસના બાટલાની અછત ઊભી ન થાય તે માટે ભારત સરકારના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ એજન્સીના નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું છે. ગેસ લાઈન ધરાવતા લોકો પાસે ગેસ સિલિન્ડર હોય તો તે જમા કરાવી દેવા જણાવાયું છે. ગેસની અછતને લીધે હોસ્પિટલ, સ્કુલ, લેબ, એગ્રો ઈન્ડસ્ટ્રીઝ, સેવાભાવી સંસ્થા, ધાર્મિક સંસ્થાઓના કોમર્શિયલ બાટલાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ગ્રાહકો નોધાવે તો રીફીલ નોંધાતા નથી કે બીલ પણ બનતા નથી. કોમર્શિયલ બાટલો ન મળતાં નાના ખાણીપીણીની લારી વાળાઓને ધંધા બંધ કરવા મજબુર બન્યા છે. ગેસ બાટલા ભરી આપવા માંગ ઉંઝા આર.કે.ફાઉન્ડેશન દ્વારા ૧૪.૨ કેજી ગેસ બાટલા ભરી આપવા બાબતે રાહુલ ગેસ એન્ટરપ્રાઈઝમાં ગેસ કનેક્શન ચાલે છે. જેનો ઉપયોગ ફી ટીફીન સેવા માટે થાય છે. જેના માટે મહિને ૮૦ થી ૧૦૦ સિલીન્ડરની જરૂર પડે છે. તો અમને આ સેવાકીય કાર્યમાં પુરતો સ્ટોક રીફીલ કરી આપવા નમ્ર વિનંતી કરાઈ છે. પી.એન.જી નું ગેસ ધરાવે છે તેવા લોકો એલ.પી.જી કનેકશન બંધ કરાવે : મામલતદાર દિપકભાઈ ગઢવી ઉંઝા મામલતદાર દિપકભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ એજન્સીના નોટીફીકેશન મુજબ જે પી.એન.જી નું રાંધણ ગેસનું કનેકશન ધરાવતા છે તેવા ધારકો પણ એલ.પી.જી. ગેસનું સિલિન્ડર ધરાવે છે તેમણે હવે એલ.પી.જી ગેસનું રીફીલ નહીં મળે. જે લોકો પી.એન.જી નું ગેસ ધરાવે છે તે લોકો વહેલાં વહેલી તકે એલ.પી.જી કનેકશન છે તે બંધ કરાવવા અપીલ કરાઈ છે.  

સંબંધિત સમાચાર