અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના રોજ રથયાત્રાની ઉજવણી થાય છે. આ વર્ષે 12 જૂનના રોજ શહેરમાં એરઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ રથયાત્રાને લઈને અફવાઓનું બજાર ગરમ હતું. એવું ચર્ચાઈ રહ્યું હતું કે અમદાવાદમાં રથયાત્રાની સાદગીપૂર્ણ રીતે ઉજવણી થઈ શકે અથવા તો રથયાત્રા રદ થઈ શકે તેવી અટકળોનો આજે અંત આવ્યો છે. જગન્નાથ મંદિરના ટ્રસ્ટીએ રથયાત્રાને લઈને મહત્વનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે દરવર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે રથયાત્રા નીકળશે. જગન્નાથજીની રથયાત્રા 148 વર્ષથી નીકળે છે એ જ રૂટ ઉપર નીકળશે. અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના ખૂબ જ દુઃખદ અકસ્માત છે. આ ઘટનાને લઈને પીડિત લોકો પ્રત્યે અમારી સંવેદના છે. પરંતુ આગામી 27 જૂનના રોજ નીકળતી રથયાત્રાને લઈને જે અફવાઓ ચાલી રહી છે. અમે તેનું ખંડન કરીએ છીએ. કારણ કે રથયાત્રાએ કોઈ મનોરંજનની યાત્રા નથી. આ તો ભક્તિનો અનેરો અવસર છે. વધુમાં તેમણે કહ્યું કે રથયાત્રાના દિવસ એ ભગવાનની ભક્તિ કરવાનો દિવસ છે. આ દિવસે ભગવાન જગન્નાથ મંદિરથી નીકળી નગરચર્યાએ પરિભ્રમણ કરી છે. આ દિવસ એટલા માટે પણ ખાસ છે કેમકે ભગવાન પોતાના ભક્તોના દ્વાર પર જાય છે. એટલે આ દિવસે ભક્તોએ ભજન કરી ભગવાનનું શ્રદ્ધાપૂર્વક સ્વાગત કરવું. આ દિવસનો ભક્તો પણ ભગવાનની રાહ જોતા હોય છે કે કયારે ભગવાન તેમના દ્વાર પર આવશે. તેમના દર્શન કરી આપણે આત્મિક અંશાતિ દૂર કરીએ.
અમદાવાદ; દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે

ટેગ્સ:#Ahmedabad#cultural significance#Public Sentiment#Worship Practices#Community Participation#spiritual journey#Rath Yatra#Traditional Celebration#Air India Plane Crash#Ashadhi Bij#Jagannath Temple#Rumors and Speculation#Mahendra Jha#Devotional Occasion#Bhajans#Lord Jagannath#Historical Route#Sympathy for Victims#Festival Planning
સંબંધિત સમાચાર
ગુજરાત
આજનું રાશિફળ (૨૭/૦૩/૨૦૨૬)
4 દિવસ પહેલા
ગુજરાત
અશાંત વિસ્તાર હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે – Gujarati GNS News
5 દિવસ પહેલા
ગુજરાતગુજરાત વિધાનસભામાં UCC બિલ રજૂ થયું, લિવ-ઇન અને લગ્ન સંબંધિત નવા નિયમો જાણો
5 દિવસ પહેલા
ગુજરાતમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સાણંદ ખાતે “વીરાંજલિ ડાયરો 2.5”નું ભવ્ય આયોજન
6 દિવસ પહેલા
