રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
Uncategorized20 નવેમ્બર, 2024| Super Admin

મંદિરમાં પૂજા કરી રહેલા વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

મંદિરમાં પૂજા કરી રહેલા વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
ગુજરાતના વલસાડ જિલ્લામાં હાર્ટ એટેકનો સિલસિલો જારી રહ્યો છે. હૃદયરોગના હુમલાથી વધુ એક કરૂણ મોત. હવે મંદિરમાં પૂજા કરી રહેલા એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હૃદયરોગના હુમલાને કારણે, વ્યક્તિ પૂજા કરતી વખતે અચાનક ફ્લોર પર પડી ગયો અને હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું મૃત્યુ થયું. આ સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. કિશોર ભાઈ પટેલ દરરોજ મહાદેવજીના મંદિરે આરતી માટે જતા હતા. દરરોજની જેમ પણ સવારે કિશોરભાઇએ મહાદેવજીની આરતી ઉતારી સવારે શિવલિંગ પર અભિષેક કર્યો હતો. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાં હાજર અન્ય લોકો તેને CPR આપી રહ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. આ ઘટનાને પગલે મંદિરમાં હાજર અન્ય લોકો પણ ગભરાઈ ગયા હતા અને મંદિર પરિસરમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. કિશોરભાઈના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. હાલ સમગ્ર પરિવાર શોકમાં ડૂબી ગયો છે.

સંબંધિત સમાચાર