બુધવારે બેંગલુરુમાં બોરિંગ અને લેડી કર્ઝન હોસ્પિટલ નજીક કમ્પાઉન્ડ દિવાલ ધરાશાયી થતાં ત્રણ બાળકો સહિત ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા. સાત લોકો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ત્યાં દાખલ દર્દીઓને મળ્યા હતા. મુખ્યમંત્રી કાર્યાલયે સાત લોકોના મોતની પુષ્ટિ કરી છે.
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બેંગલુરુમાં હોસ્પિટલની દિવાલ ધરાશાયી થવાના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસના આદેશ પણ આપ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં સાત અન્ય લોકો ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું હતું કે ઘાયલો ખતરાની બહાર છે. દરમિયાન, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું, "મેં પોલીસ કમિશનર સાથે વાત કરી છે, તેથી મેં મારી બેઠક ટૂંકી કરી છે અને તાત્કાલિક ઘટનાસ્થળે જઈ રહ્યો છું. હું જોઈશ કે આપણે કેવી રીતે મદદ કરી શકીએ અને શું કરવાની જરૂર છે."
બેંગલુરુમાં દિવાલ ધરાશાઈ થાત મોટો અકસ્માત, 7 લોકોના મોત

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયપટનાના દિદારગંજમાં તેલ અને રિફાઇનરી વેરહાઉસમાં ભીષણ આગ
5 કલાક પહેલા
રાષ્ટ્રીયટાટા મોટર્સ 4 નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે
20 કલાક પહેલા
રાષ્ટ્રીયખેડામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 10 કિલોમીટર દૂર ભૂકંપ જેવો અહેસાસ
20 કલાક પહેલા
રાષ્ટ્રીયકર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય પર જૂતું ફેંકાયું
21 કલાક પહેલા
