રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
રાષ્ટ્રીય2 મે, 2026| Super Admin

પશ્ચિમ બંગાળના 15 બૂથ પર ફરીથી મતદાન : હિંસા અને EVM છેડછાડ બાદ ચૂંટણી પંચનો નિર્ણય

પશ્ચિમ બંગાળના 15 બૂથ પર ફરીથી મતદાન : હિંસા અને EVM છેડછાડ બાદ ચૂંટણી પંચનો નિર્ણય

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન દરમિયાન થયેલી હિંસા અને ગેરરીતિઓને ધ્યાને રાખીને, ચૂંટણી પંચના આદેશ મુજબ આજે દક્ષિણ 24 પરગના જિલ્લાના કુલ 15 મતદાન મથકો પર ફરીથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ગત 29 એપ્રિલના રોજ યોજાયેલા બીજા તબક્કાના મતદાન દરમિયાન ડાયમંડ હાર્બરના 4 અને મગરહાટ પશ્ચિમના 11 બૂથો પર હિંસા, EVM સાથે છેડછાડ અને જૂથ અથડામણની ફરિયાદો ઉઠી હતી. આ ગંભીર અહેવાલોને આધારે ચૂંટણી પંચે તે દિવસે થયેલા મતદાનને અમાન્ય જાહેર કરી શુક્રવારે પુનર્મતદાન (Re-polling) યોજવાની સત્તાવાર જાહેરાત કરી હતી.

સમયગાળો: મતદાન પ્રક્રિયા સવારે 7:00 વાગ્યે શરૂ થઈ છે, જે સાંજે 6:00 વાગ્યા સુધી ચાલશે.

મતદાનની ટકાવારી: સવારના 9:00 વાગ્યા સુધીના આંકડા મુજબ, મગરહાટમાં 16.68% અને ડાયમંડ હાર્બરમાં 15.83% મતદાન નોંધાયું છે.

ટેકનિકલ મુશ્કેલી: ડાયમંડ હાર્બરની રોયનગર પ્રાથમિક શાળાના બૂથ નંબર 243 પર સવારના સમયે EVM ખોટકાયું હોવાની ફરિયાદ મતદારો દ્વારા કરવામાં આવી હતી, જેના કારણે મતદાન પ્રક્રિયામાં અડધા કલાકથી વધુ સમયનો વિલંબ થયો હતો.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, બાકીના તબક્કાના મતદાન અને આજના પુનર્મતદાન પૂર્ણ થયા બાદ, તમામ મતોની ગણતરી 4 મે, 2026 ના રોજ હાથ ધરવામાં આવશે. આજના મતદાનને ધ્યાને રાખીને સંવેદનશીલ બૂથો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી ગત વખત જેવી હિંસાની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

સંબંધિત સમાચાર