છેલ્લા ચારેક મહિનાથી નાસતા ફરતા આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો
મહેસાણા શહેરમાં મારામારીના ગુનામાં પોલીસને થાપ આપીને છેલ્લા ચારેક મહિનાથી નાસતા ફરતા આરોપીને એસઓજી પોલીસે ઝડપી લઈને કાર્યવાહી આરંભી છે.મહેસાણા જિલ્લામાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ અને નાસતા ફરતા આરોપીઓને પકડવા પોલીસે એટીએસ ચાર્ટરની કામગીરી શરૂ કરી હતી.
જેમાં એસઓજી પોલીસને હકીકત મળેલી હતી કે ( મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં ) ચાર માસ અગાઉ નોંધાયેલા મારામારી કેસના ગુનામાં નાસતો ફરતો આરોપી દિગ્વિજય ઉર્ફ દીનો ઈશ્વર સિંહ ઝાલા રહે ભેસાણા વાળો હાલમાં શહેરના હાઇવે પર નાગલપુર પાટિયા પાસે ઉભો હોવાની બાતમી મળી હતી. બાતમી મળતા એસઓજી ટીમેં આરોપીને ઝડપી લીધો હતો.ત્યારબાદ વધુ તપાસ માટે મહેસાણા બી ડિવિઝન ને સોંપવામાં આવ્યો હતો.આમ મારામારી કેસમાં છેલ્લા ચાર માસથી ફરાર આરોપીને એસઓજી ટીમે ઝડપી લીધો હતો.