ડીસાના સમૌ ગામે દાંતીવાડા કેનાલમાં લાશ મળી આવતા ચકચાર

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાથી નજીક આવેલ દાંતીવાડા ડેમ ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. બનાસકાંઠા,સરસ્વતી તેમજ પાટણ જિલ્લાના ખેડૂતોને દાંતીવાડા ડેમની નહેર દ્વારા ખેતી માટે પાણી આપવામાં આવે છે. આ નહેર ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે પરંતુ આજ નહેર કોઈક ના માટે મોત નું કારણ બની છે.

ડીસાના સમૌ પાસે આ કેનાલમાંથી એક યુવકની લાશ મળી આવી છે. કેનાલમાંથી લાશ મળી આવતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.ડીસા તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી..મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ડીસા રૂરલ પોલીસે યુવકની ઓળખ માટે પ્રયાસો હાથ ધરાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.