“શુભયાત્રા સ્વચ્છયાત્રા” અંતર્ગત સફાઈ ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

એસ.ટી ડેપો અંબાજી અને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના NSS વિભાગની વિદ્યાર્થીનીઓ આ સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાયા હતા. કર્મચારીઓ અને મુસાફર જનતામાં સફાઈ બાબત સતત જાગૃતિ અને સજાગતા રહે એ હેતુસર આજે અંબાજી એસ.ટી ડેપો અને અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના NSS વિભાગ દ્વારા “શુભયાત્રા સ્વચ્છયાત્રા” અંતર્ગત સફાઈ ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પાલનપુર વિભાગીય નિયામક કિરીટભાઇ ચોધરી અને અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્યના માર્ગદર્શન અને સકારાત્મક અભિગમ થકી NSSની વિદ્યાર્થીનીઓ અને અંબાજી ડેપોના સ્ટાફ સાથે એસ.ટી ડેપો ખાતે અને આસપાસના સ્થળોએ સ્વચ્છતા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. NSSની વિદ્યાર્થિનીઓ દ્વારા મુસાફર જનતાને સ્વચ્છતા અંગે જાગૃત બનવા અપીલ કરવાની સાથે સફાઈ અંગેનો સંદેશ આપવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.