![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/પાલનપુરમાં-જરૂરિયાતમંદો-02-HED.jpg)
પાલનપુરમાં જરૂરિયાતમંદો ને ભોજનમાં અલગ અલગ વિસ્તારમાં પાવભાજી ભોજન પ્રસાદ પીસવામાં આવ્યું
જીવદયા ફાઉન્ડેશન દ્વારા ઠાકોર દાસ ખત્રી.પરાગભાઈ સ્વામી અને રામચંદ્ર એસ ગોવિંદાના સહયોગથી પાલનપુર માં ગોબરી રોડ વિસ્તારમાં રવિવાર પાઠશાળામાં નાના બાળકોને પાવભાજી અને મોહનથાળ નો ભોજન પ્રસાદ પીરસાયો હતો. ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદ આનંદ મળ્યા બાળકો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ આપ્યા હતા. તથા પાલનપુરમાં જરૂરત મંદ લોકોને અલગ અલગ વિસ્તારમાં પાવભાજી ભોજન પ્રસાદ પીસવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ ખત્રી, પરાગભાઈ સ્વામી, કેયુર જગતાપ, નાયક અક્ષય કુમાર, હરિભાઈ વિષ્ણુ મહારાજ હાજર રહી સેવા આપી હતી.