ડીસા તાલુકાના ૧,૬૬,૪૪૧ તથા બનાસકાંઠામાં અંદાજીત ૧૧ લાખ લોકોને મફત રાશન વિતરણ કરાશે : શશીકાંત પંડયા

dw4Ipj14wNs
બનાસકાંઠા

ડીસા : ડીસા ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા પત્રકાર પરિષદ સંબોધી રાજ્ય સરકાર દ્વારા એપીએલ કાર્ડધારકોને મફતમાં અનાજ આપવાની જાહેરાત કરાતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે ત્યારે ડીસા ધારાસભ્ય શશીકાંત પંડયાએ આજે પત્રકાર પરિષદ સંબોધી ડીસાની જનતા વતી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, ડીસા તાલુકાના ૧,૬૬,૪૪૧ તથા સમગ્ર બનાસકાંઠામાં અંદાજીત ૧૧ લાખ લોકોને મફત રાશન વિતરણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ બીપીએલ કાર્ડ ધારકોને સરકાર તરફથી અનાજ મળતા એપીએલ રેશનકાર્ડ ધારકો નારાજ થયા હતા. આથી ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા લોકોની રજૂઆતોને રાજ્ય સરકાર સુધી પહોંચાડતા રાજ્ય સરકારે એપીએલ કાર્ડધારકોને મફતમાં અનાજ આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.