રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાષ્ટ્રીય17 મે, 2025| Super Admin

આવતા વર્ષથી વોડાફોન આઈડિયા કંપની બંધ થઈ જશે ? સરકાર પાસે મદદ માંગી

આવતા વર્ષથી વોડાફોન આઈડિયા કંપની બંધ થઈ જશે ? સરકાર પાસે મદદ માંગી
વોડાફોન આઈડિયાએ સરકારને કહ્યું છે કે જો તે મદદ નહીં કરે તો આવતા વર્ષથી તેનું સંચાલન ચાલુ રાખવું મુશ્‍કેલ બનશે : કંપનીએ લગભગ ૩૦,૦૦૦ કરોડ રૂપિયાના AGR બાકી રકમ માફ કરવાની માંગ કરી છે.: જો બંધ થશે તો તેના કરોડો વપરાશકર્તાઓએ બીજી કંપનીમાં જવું પડશે. ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા (VIL) એ સરકારને એક મોટી અપીલ કરી છે. કંપનીએ ટેલિકોમ વિભાગ (DoT) ને જણાવ્‍યું છે કે જો સરકાર AGR (એડજસ્‍ટેડ ગ્રોસ રેવન્‍યુ) પર સમયસર મદદ નહીં કરે, તો નાણાકીય વર્ષ ૨૦૨૬ (FY26) પછી તેમના માટે કામ કરવું મુશ્‍કેલ બનશે. કંપની ભારતમાંથી તેનું કામકાજ બંધ કરી શકે. કંપનીએ ૧૭ એપ્રિલ ૨૦૨૫ ના રોજ DoT ને એક પત્ર લખ્‍યો હતો. તેમણે સરકારને મદદ માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે મદદ વિના પરિસ્‍થિતિ કાબુ બહાર નીકળી જશે. એનો અર્થ એ કે જો સરકાર મદદ નહીં કરે તો કંપની પાસે પાછા ફરવાનો કોઈ રસ્‍તો નહીં રહે.VIL ના CEO અક્ષય મુન્‍દ્રાએ ઝંવ્‍ સચિવને લખેલા પત્રમાં જણાવ્‍યું હતું કે AGR પર સરકાર તરફથી સમયસર સહાય વિના, VIL નાણાકીય વર્ષ ૨૬ પછી કાર્ય કરી શકશે નહીં. કારણ કે બેંક ભંડોળ અંગેની વાતચીત આગળ વધશે નહીં. આનો અર્થ એ થયો કે જો સરકાર AGRના મામલે તાત્‍કાલિક મદદ નહીં કરે, તો બેંકો કંપનીને લોન નહીં આપે અને કંપનીનું કામકાજ ઠપ્‍પ થઈ જશે.

સંબંધિત સમાચાર