રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય1 ઑગસ્ટ, 2025| Super Admin

પુણેમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ બાદ આગચંપી, ધાર્મિક સ્થળ પર તોડફોડ; પોલીસે લાઠીચાર્જ કર્યો

પુણેમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ બાદ આગચંપી, ધાર્મિક સ્થળ પર તોડફોડ; પોલીસે લાઠીચાર્જ કર્યો

પુણેના દૌંડ યાવત વિસ્તારમાં આજે એક મહાન પુરુષની પ્રતિમાનું અપમાન કરવાના આરોપોને લઈને ભારે હોબાળો થયો હતો.. આગચંપી અને પથ્થરમારો થયો હતો.. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી.. વાસ્તવમાં આ હોબાળો ત્રણ દિવસ પહેલા બનેલી એક ઘટના સાથે જોડાયેલો છે.. દૌંડ વિસ્તારમાં એક ચોક્કસ સમુદાયના લોકોએ તે મહાન પુરુષની પ્રતિમા સાથે દુર્વ્યવહાર કર્યો હતો, જેને મહારાષ્ટ્રના લોકો ભગવાનની જેમ પૂજે છે.. આ ઘટનાને કારણે વિસ્તારમાં તણાવ ફેલાયો હતો. ગુરુવારે ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકરે પણ એક જાહેર સભા યોજી હતી અને ત્યાં સુધી પરિસ્થિતિ નિયંત્રણમાં હતી.. પરંતુ આજે એક ખાસ સમુદાયના યુવકે તે ઘટનાનું વોટ્સએપ સ્ટેટસ મૂકતાં હોબાળો મચી ગયો. અચાનક આ સમાચાર આખા વિસ્તારમાં ફેલાઈ ગયા અને અન્ય સમુદાયના લોકો આ વોટ્સએપ સ્ટેટસનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા. બંને તરફથી પથ્થરમારો થયો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને ભારે મહેનત કરવી પડી. પોલીસે આ વોટ્સએપ સ્ટેટસ મૂકનાર યુવકને પણ કસ્ટડીમાં લીધો છે. આ ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અશાંતિ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે એક વ્યક્તિએ ખૂબ જ વાંધાજનક સ્ટેટસ પોસ્ટ કર્યું હતું. હંગામાને કારણે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો.

સંબંધિત સમાચાર