બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના થેરવાડા ગામે ખન્નડીના તળાવ નજીક આવેલી એક ખાઈમાં દેશી ગાય પડી જતાં સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં ગામના જાગૃત નાગરિકો, મિત્ર મંડળના યુવાનો તેમજ બનાસ ડેરીના ડોક્ટરશ્રી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.
ટીમે સંયુક્ત પ્રયાસો કરીને જરૂરી સાધનો અને દોરડાની મદદથી સાવચેતીપૂર્વક ગાયનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ ગાયને સુરક્ષિત રીતે ખાઈમાંથી બહાર કાઢવામાં આવી હતી.સ્થાનિક લોકો અને મિત્ર મંડળની સતર્કતા તથા બનાસ ડેરીના ડોક્ટરશ્રીના સમયસરના સહયોગથી એક નિર્દોષ પશુનો જીવ બચી ગયો હતો. ગ્રામજનોએ આ કામગીરીમાં જોડાયેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.





