સર્વોચ્ય અદાલતે લાંબા સમયથી જેલમા બંધ કેદીઓને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ કેદીને લાંબા સમય સુધી ખોટી રીતે જેલમાં રાખવામાં આવે છે, તો તેઓને વળતર આપવા માટે એક કાયદો બનાવવાની જરૂર છે. આ મુદ્દા પર નિર્ણય લેવાની સત્તા સંસદની છે એમ પણ કોર્ટે કહ્યું હતું. સુપ્રીમ કોર્ટની આ ટીપ્પણી લાંબા સમયથી ખોટી રીતે કેદ કરવામાં આવેલા મળત્યુદંડની સજા પામેલા દોષીને નિર્દોષ મુક્ત કરતા આપી હતી. જસ્ટીસ વિક્રમનાથ, જસ્ટીસ સંજય કરોલ અને જસ્ટીસ સંદીપ મહેતાની બેન્ચે કહ્યું કે અમેરિકા કરતા એકદમ અલગ ભારતમાં ખોટી રીતે કેદ કરવામાં આવેલા લોકોને વળતર અંગે કોઈ કાયદો જ નથી. જસ્ટીસ સંજય કરોલ દ્વારા લખવામાં આવેલા ચુકાદામાં કહેવામા આવ્યું કે અમેરિકા જેવા વિદેશી ન્યાય ક્ષેત્રમાં લાંબા સમયની કેદ બાદ નિર્દોષ જાહેર થવા પર અદાલતોએ તે લોકોને વળતર આપવાનો નિર્દેશ કર્યો છે.વળતરના આ અધિકારને સંઘીય અને રાજ્ય બંને કાયદાઓ દ્વારા માન્યતા આપવામાં આવી છે. વળતરનો દાવો કરવાની બે રીતો છે અપકળત્ય દાવા/નાગરિક અધિકારના મુકદ્દમા નૈતિક જવાબદારીના દાવા અને વૈધાનિક દાવા. બેન્ચે નોંધ્યું કે ભારતીય કાયદા પંચના ૨૭૭મા અહેવાલમાં આ મુદ્દા પર વિચારણા કરવામાં આવી હતી, પરંતુ ‘ખોટા અભિયોજન'ની તેની સમજ ફક્ત દૂષિત અભિયોજન સુધી જ મર્યાદિત હતી અને અભિયોજન પક્ષે ખોટા કારાવાસની સ્થિતિને સીધી રીતે સંબોધ્યા વિના, સદ્ભાવના વિના શરૂઆત કરી હતી. કોર્ટે કહ્યું છે કે ખોટી રીતે દોષી જાહેર કરાયેલા વ્યક્તિઓને લાંબા સમય સુધી કસ્ટડીમાં રાખવો એ બંધારણના અનુચ્છેદ ૨૧ અનુસાર જીવન જીવવાના અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે, અને આથી જ તે વ્યક્તિ વળતરની હકદાર બને છે. જો કે આ પ્રકારના વળતરનો આધાર જુદી જુદી અદાલત અનુસાર અલગ હોય શકે છે.
જેલમાં ખોટી રીતે રાખ્યા બાદ નિર્દોષ છૂટેલા કેદીઓને ‘વળતર'નો અધિકાર : સુપ્રીમ કોર્ટ

ટેગ્સ:#Human Rights#legal reforms#civil rights#judicial verdict#legal rights#criminal justice system#personal liberty#Supreme Court of India#legal precedents#Wrongful Imprisonment#Compensation for Prisoners#Article 21#Law Commission of India#Malicious Prosecution#Legislative Power#Judicial Observations#Prisoner Rights
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયથલાપતિ વિજય એક્શનમાં, હવે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો, મહિલાઓના ખાતામાં 1000 રૂપિયા જમા થશે
21 કલાક પહેલા
રાષ્ટ્રીય16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR શરૂ થશે
22 કલાક પહેલા
રાષ્ટ્રીયNIAએ 7500 પાનાની ચાર્જશીટ દાખલ કરી, 10 આરોપીઓના નામ સામેલ
23 કલાક પહેલા
રાષ્ટ્રીયમુખ્યમંત્રી અને મંત્રીઓના કાફલા ટૂંકા કરવામાં આવશે, વિદેશ પ્રવાસો રદ કરવામાં આવશે, હેલિકોપ્ટરના ઉપયોગ પર પણ પ્રતિબંધ, ફડણવીસ સરકારનો મોટો નિર્ણય
23 કલાક પહેલા
