રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય25 જુલાઈ, 2025| Super Admin

ફાસ્‍ટેગ એકવાર રિચાર્જ કરો અને આખા વર્ષ માટે ટોલ મુક્‍ત રહો

ફાસ્‍ટેગ એકવાર રિચાર્જ કરો અને આખા વર્ષ માટે ટોલ મુક્‍ત રહો

દેશમાં વાર્ષિક ટોલ પાસ શરૂ થવા જઈ રહ્યો છેઃ ૪ ઓગસ્‍ટથી ખુલશે લિંક : તમે ૩,૦૦૦ રૂપિયાનો પાસ લઈને રાષ્‍ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ ભરવાની ઝંઝટમાંથી મુક્‍તિ મેળવી શકો છો. દેશમાં ૧૫ ઓગસ્‍ટથી વાર્ષિક ટોલ પાસ સિસ્‍ટમ્‍સ

દેશમાં ૧૫ ઓગસ્‍ટથી શરૂ થઈ રહેલી વાર્ષિક ટોલ પાસ સિસ્‍ટમ્‍સ માટેની લિંક ૪ ઓગસ્‍ટથી ખોલવામાં આવી રહી છે. આ માહિતી આપતાં, કેન્‍દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્‍યું હતું કે આ માટે, ૪ ઓગસ્‍ટથી રાજમાર્ગયાત્રા મોબાઇલ એપ્‍લિકેશન અને એનએચએઆઈ વેબસાઇટ પર એક લિંક ઉપલબ્‍ધ કરાવવામાં આવશે, જેના દ્વારા મહત્તમ ૨૦૦ ટોલ પ્‍લાઝા અને એક વર્ષ માટે માન્‍ય ૩,૦૦૦ રૂપિયાનો આ વાર્ષિક પાસ મેળવવા ઇચ્‍છુક લોકો તેને તેમના હાલના ફાસ્‍ટેગ પર રિચાર્જ કરી શકશે.

કેન્‍દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા ગયા મહિને વાર્ષિક ટોલ પાસ સિસ્‍ટમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જાહેરાત કરવામાં આવી હતી કે ૧૫ ઓગસ્‍ટથી દેશભરમાં તેનો અમલ કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્‍યું હતું કે આ માટે બે દિવસ પહેલા જ એક સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. જેમાં, તેના તમામ પાસાઓ પર વિચારણા કરવાની સાથે, તેનો અમલ કેવી રીતે કરવામાં આવશે તે અંગે આ તમામ મુદ્દાઓ પર વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. તેમાં કેટલાક સુધારા કર્યા પછી, એવું નક્કી કરવામાં આવ્‍યું કે આ માટેની લિંક ૪ ઓગસ્‍ટથી ખોલવામાં આવશે જેથી ૧૫ ઓગસ્‍ટથી વાર્ષિક ટોલ પાસની સુવિધા લેતા લોકો તેમના સંબંધિત ફાસ્‍ટેગમાં તેને રિચાર્જ કરવાનું શરૂ કરી શકે.

હાલમાં આ સેવા માટે ૩૦ બેંકોનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. જાહેરાત સમયે, એવું પણ કહેવામાં આવ્‍યું હતું કે આ ટોલ પાસ ફક્‍ત એનએચઆઈના રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ (એનએચ) અને રાષ્‍ટ્રીય એક્‍સપ્રેસ વે (એનઈ) ના ટોલ પ્‍લાઝા પર જ માન્‍ય રહેશે. એકવાર તમે ૩,૦૦૦ રૂપિયાનું રિચાર્જ કરાવો છો, તો તેની માન્‍યતા એક વર્ષ માટે રહેશે. આ સમયગાળા દરમિયાન, વપરાશકર્તા વધુમાં વધુ ૨૦૦ ટોલ પ્‍લાઝા પાર કરવા માટે તેનો ઉપયોગ કરી શકશે. સરેરાશ એક ટોલ માટે રૂ.૧૫નો ચાર્જ લાગશે.

     

સંબંધિત સમાચાર