રાજસ્થાનના રણુજાથી દર્શન કરીને પરત ફરી રહેલા બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના યાત્રાળુઓની સ્કોર્પિયોને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. બાલોતરા જિલ્લાના આસોતરા પાસે ભારતમાલા રોડ પર દુર્ઘટના બની છે. કાર સામે અચાનક નીલગાય આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો, જેને પગલે કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નાહટા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જોધપુર રીફર કરવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ થાવર ગામ સહિત મૃતકોના પરિવારમાં ભારે શોકનો માહોલ વ્યાપી ગયો છે.
મૃતકના નામ
અજમલભાઈ ગણેશભાઈ ચૌધરી (ઉ.વ.35)
હિતેશભાઈ દેવરણભાઈ ચૌધરી (ઉ.વ.32)
યોગેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી (ઉ.વ.18)
ઈજાગ્રસ્તોના નામ
અશોક ચૌધરી (ઉ.વ.26)
કમલેશ ચૌધરી (ઉ.વ.30)
આયુષ ચૌધરી, (ઉ.વ.8)




