રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાજકારણ7 ડિસેમ્બર, 2024| Super Admin

પ્રિયંકા ગાંધી કહ્યું સત્તાધારી પક્ષના લોકો ગમે તે કહે, તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી

પ્રિયંકા ગાંધી કહ્યું સત્તાધારી પક્ષના લોકો ગમે તે કહે, તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી
વાયનાડથી કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનને બે ટુકડામાં વહેંચી દીધું હતું. ભાજપના લોકો પણ તેમને દેશદ્રોહી કહે છે. તેથી આમાં કંઈ નવું નથી. ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને 'દેશદ્રોહી' કહ્યા બાદ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમના ભાઈનો બચાવ કર્યો છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે સત્તાધારી પક્ષના લોકો ગમે તે કહે, તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી કારણ કે તેમના ભાઈ માટે દેશથી વધુ કંઈ મહત્વનું નથી. પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'મને મારા ભાઈ પર ખૂબ ગર્વ છે, તેના માટે દેશથી મોટું કંઈ નથી. તેમણે દેશની એકતા માટે આઠ હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યો, જેમાંથી ચાર હજાર કિલોમીટર પદયાત્રા હતી. ભાજપ પર નિશાન સાધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'આ લોકો ગમે તે કહે, તેનાથી કોઈ ફરક પડતો નથી.' ભાજપે રાહુલ ગાંધી પરbઆરોપ લગાવ્યો હતો ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો હતો કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ઈન્વેસ્ટિગેટિવ મીડિયા સહિત આંતરરાષ્ટ્રીય દળો સાથે સંબંધો છે જે ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે બીજેપી નેતાએ કહ્યું હતું કે રાહુલ ગાંધી દેશદ્રોહી છે.

સંબંધિત સમાચાર