રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા27 નવેમ્બર, 2024| Super Admin

ખેમાણા પાસે ગૌમાતા પર વધુ એકવાર એસિડ એટેકથી આક્રોશ

ખેમાણા પાસે ગૌમાતા પર વધુ એકવાર એસિડ એટેકથી આક્રોશ

સપ્તાહમાં ગૌવંશ પર એસિડ એટેકના બીજા બનાવથી જીવદયાપ્રેમીઓ લાલઘૂમ પાલનપુર તાલુકાના ખેમાણા ગામ પાસે કોઈ નરાધમ તત્વો દ્વારા વધુ એક ગૌ માતા પર એસિડ એટેક કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. એક જ સપ્તાહમાં ગૌ માતા પર એસિડ એટેકનો બીજો બનાવ બનતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ ની લાગણી પ્રવર્તી રહી છે. ત્યારે ગૌભક્તોએ એસિડ એટેક કરનારાઓને નશ્યત કરવાની માંગ કરી છે. ખેમાણા પાસે ગત ગુરુવારે અજાણ્યા શખ્સોએ ગાય માતા ઉપર એસિડ નાખ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. ગાય માતા ઉપર એસિડ રેડતા ગાય માતા ગંભીર રીતે દાઝી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ખેમાણા ગામના ગ્રામજનોએ ઓનલાઇન પશુ સેવા કેન્દ્રમાં ફોન કરતાં ડોકટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટરો દ્વારા ગાય માતાની સારવાર શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ફરીએકવાર ગૌ માતા પર એસિડ એટેક થયો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. વારંવાર ગૌવંશ પર થતા એસિડ એટેકને પગલે ગ્રામજનો એ પોલીસને જાણ કરી હતી. ગૌ ભક્તોએ વારંવાર થતા એસિડ એટેક સામે ઉગ્ર રોષ ઠાલવી એસિડ નાખનાર શખ્સોને પકડીને કડક કાર્યવાહીની માંગ કરી હતી. 

સપ્તાહમાં ગૌવંશ પર બીજો એસિડ એટેક: ખેમાણા પાસે છાશવારે ગૌવંશ પર થતા એસિડ એટેક સામે ગૌ ભક્તોએ ભારે ઉભરો ઠાલવ્યો હતો. છેલ્લા એક સપ્તાહમાં ગૌ માતા પર એસિડ એટેકની બીજી ઘટના સામે આવી છે. અત્યાર સુધીમાં 7 જેટલી ગાયો પર એસિડ એટેક થયો છે. જેમાં 2 નંદીના મોત થયા હોવાનું જણાવી ગૌભક્તોએ એસિડ છાંટવામાં આવતો નથી પણ રીતસર ગૌમાતા પર એસિડ રેડવામાં આવે છે. જેથી ગાય માતાઓની અરેરાટીભરી સ્થિતિ જોઈ ગૌભક્તોએ એસિડ એટેક કરનારાઓને ઝડપી લેવાની માંગ કરી હતી. જોકે, અબોલ જીવો પર એસિડ નાખી અધમ કૃત્ય આચરનાર તત્વો પોલીસ પકડથી દૂર છે. ત્યારે પોલીસ સત્વરે આવા માનસિક વિકૃતિ ધરાવતા નઠારા તત્વોને ઝડપી લે તેવી માંગ જોર પકડી રહી છે.

સંબંધિત સમાચાર