રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
Uncategorized23 નવેમ્બર, 2024| Super Admin

કેજરીવાલે દિલ્હીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે 'રેવડી પર ચર્ચા' નામનું ચૂંટણી અભિયાન શરૂ

કેજરીવાલે દિલ્હીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે 'રેવડી પર ચર્ચા' નામનું ચૂંટણી અભિયાન શરૂ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ' રેવડી પર ચર્ચા' નામનું ચૂંટણી અભિયાન શરૂ કર્યું. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં ચૂંટણી આવી ગઈ છે. અમે સમગ્ર દિલ્હીમાં એક નવું અભિયાન શરૂ કરી રહ્યા છીએ. આ 'રેવડી પે ચર્ચા' છે. દરેક શેરી, દરેક વિસ્તાર અને દરેક સોસાયટીમાં કુલ 65,000 સભાઓ યોજાશે. પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવશે. આના દ્વારા અમારા કાર્યકર્તાઓ લોકોની વચ્ચે જશે અને લોકોને કહેશે કે અમે દિલ્હીમાં ઘણું કામ કર્યું છે. અમે દિલ્હીના લોકોને છ મફત ' રેવડીઓ' આપી છે. અમે દિલ્હીના લોકોને પૂછવા માંગીએ છીએ કે શું તેઓને આ ' રેવડીઓ' જોઈએ છે કે નહીં. દિલ્હીમાં મહિલાઓ માટે વધુ એક 'રેવડી' અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં મહિલાઓ માટે વધુ એક 'રેવાડી' રૂ. 1,000 માસિક સહાય ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ પહેલા આપ સરકાર દિલ્હી સરકારની બસોમાં મહિલાઓને મફત મુસાફરીની સુવિધા આપી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ દિલ્હીમાં તમામ મફત સુવિધાઓ બંધ કરવા માંગે છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે છેલ્લા એક દાયકામાં ભાજપે માત્ર AAP સરકારના વિકાસ કાર્યોને રોકવાનું કામ કર્યું છે. કેજરીવાલે દિલ્હીના રહેવાસીઓને મફત સેવાઓ પ્રદાન કરવાની પાર્ટીની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે શિક્ષણ, આરોગ્યસંભાળ અને અન્ય આવશ્યક સેવાઓને મફત બનાવવાની નીતિઓ ચાલુ રહેશે.

સંબંધિત સમાચાર