કાંકરેજના જમણાપાદર ગામની બનાસ નદીમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં પાપ આખરે છાપરે ચડીને પોકાર્યું છે. અરણીવાડા ગામના રાહુલસિંહ સોલંકી નામના યુવકની ઘાતકી હત્યા કરી તેની લાશને નદીના પટમાં જેસીબી મશીન વડે ઊંડો ખાડો કરીને દાટી દેવાના ગુનાનો શિહોરી પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કરૂણ અને શરમજનક ઘટનામાં મરનારના સગા ભાણેજે જ પોતાના એકના એક મામાને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની વિગત મુજબ, પોલીસે આ મામલે ત્વરિત તપાસ હાથ ધરીને સૌપ્રથમ રાનેર ગામના દશરથસિંહ જેણાજી જાદવ નામના શખ્સની અટકાયત કરી હતી. તેને શિહોરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસની કડક પૂછપરછ દરમિયાન દશરથસિંહે પોપટ બનીને આ ગુનામાં સામેલ અન્ય બે સહ-આરોપીઓના નામ ઓક્યા હતા.
કાંકરેજ બનાસ નદીમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો: ત્રણ આરોપીઓ ઝડપાયા
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર હાઈવે પર સ્પા સેન્ટર ઉપર દરોડો : થાઈલેન્ડની 5 યુવતીઓ સહિત 7 ની અટકાયત
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના હવાઇ પિલર નજીકથી મોટર સાયકલની ચોરી : પોલીસ ફરિયાદ નોંધાઈ
1 દિવસ પહેલા
બનાસકાંઠારાજ્યસભાના ઉપાધ્યક્ષે પરિવાર સાથે મા અંબાના દર્શન કર્યા
1 દિવસ પહેલા
બનાસકાંઠાઅમીરગઢના આવલ ગામમાં જંગલી રીંછ ઘૂસતા લોકોમાં ફફડાટ
1 દિવસ પહેલા
