કાંકરેજ તાલુકામાં તાજેતરમાં થયેલ માવઠાથી ખેતી પાકોમાં મોટું નુકશાન થયેલ છે. જેમાં તૈયાર પાક જેવા મગફળી, કપાસ, જુવાર, બાજરી, કઠોળ સહિતના પાકો ઊગી ગયા છે. જેથી પાકોમાં મોટા પ્રમાણમાં પાકો નિષ્ફળ થયા છે. અને અત્યારે ખેડૂતો દેવાના ડુંગર હેઠળ દટાઈ ગયો છે તો સરકાર દ્વારા સત્વરે સહાય મળે તે માટે કાંકરેજ મામલતદાર વી.એમ.પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવેલ. જેમાં ભારતીય કિસાન સંઘ કાંકરેજના પ્રમુખ વાઘાભાઈ પટેલ તેમજ મફાભાઈ દેસાઈ વાઘાભાઈ પટેલ તળજાભાઈ દેસાઈ તેમજ કિસાન સંઘના હોદેદારો ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાંકરેજ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

સંબંધિત સમાચાર
બનાસકાંઠાઆવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ : શ્રાવણ માસને લઇ શિવભક્તોમાં અદમ્ય ઉત્સાહ
13 કલાક પહેલા
બનાસકાંઠાઅંબાજીમાં ધીમીધારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં : વાહનચાલકો પરેશાન
13 કલાક પહેલા
બનાસકાંઠામાલગઢ ખાતે ડીસા તાલુકા કક્ષાની વિશાળ તિરંગા યાત્રા નીકળી : સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયું
13 કલાક પહેલા
બનાસકાંઠાકાંકરેજના ખીમાણા ગામે તિરંગા યાત્રા યોજાઈ
14 કલાક પહેલા
