રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
આંતરરાષ્ટ્રીય17 માર્ચ, 2025| Super Admin

પાકિસ્તાનમાં જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (JUI) ના એક વરિષ્ઠ નેતાની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી

પાકિસ્તાનમાં જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (JUI) ના એક વરિષ્ઠ નેતાની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી

(જી.એન.એસ) તા. 17

ક્વેટા,

પાકિસ્તાનમાં વધુ એક  હાઈપ્રોફાઈલ હત્યાનો મામલો સામે આવ્યો છે જેમાં અજાણ્યા હુમલાખોરોએ જમીયત ઉલેમા-એ-ઈસ્લામ (JUI) ના એક વરિષ્ઠ લીડર પર અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો. આ ઘટનામાં વરિષ્ઠ લીડર મુફ્તી અબ્દુલ બાકી મૃત્યુ પામી ગયા. પોલીસે આ મામલે કહ્યું કે આ હુમલામાં મુફ્તી અબ્દુલ બાકી નુરઝઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને અનેક ગોળીઓ વાગી હતી જેના બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે દમ તોડ્યો હતો. સુરક્ષાદળોએ હુમલાની પુષ્ટી કરતાં વધુ તપાસ હાથ ધરી હતી. 

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં રવિવારે ક્વેટાથી તાફ્તાન જતા સૈન્ય કાફલા પર મોટો આતંકી હુમલો કરાયો હતો. જેમાં સાત સૈનિકોના મોત થયા હતા અને 21 ઈજાગ્રસ્ત થયા હતા. જોકે આ હુમલાની જવાબદારી સ્વીકારતાં બલૂચ લિબરેશન આર્મી (BLA)એ 90 પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો કર્યો હતો. 

 પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી સતત આતંકવાદી હુમલા થઈ રહ્યા છે. રવિવારે ક્વેટાથી તફ્તાન જઈ રહેલા સેનાના કાફલા પર આતંકવાદી હુમલો થયો હતો, જેમાં સાત સૈનિકો માર્યા ગયા હતા જ્યારે 21 ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી લેતા, બલૂચ લિબરેશન આર્મી (BLA) એ 90 પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો કર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર