રખેવાળ
બ્રેકિંગ
આંતરરાષ્ટ્રીય28 જુલાઈ, 2025| Super Admin

પાકિસ્તાનમાં ભયાનક માર્ગ અકસ્માત, 9 લોકોના મોત; 30 થી વધુ લોકો ઘાયલ

પાકિસ્તાનમાં ભયાનક માર્ગ અકસ્માત, 9 લોકોના મોત; 30 થી વધુ લોકો ઘાયલ
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો છે. રવિવારે થયેલા આ બસ અકસ્માતમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે અને 30 થી વધુ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ આ અકસ્માત અંગે માહિતી આપી છે. બસ ઇસ્લામાબાદથી લાહોર જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. પંજાબ પ્રાંતના ચકવાલ જિલ્લામાં બાલકાસર નજીક બસ ખાડામાં પડી ગઈ હતી. વાહનમાં 40 થી વધુ મુસાફરો હતા. ચકવાલ ઇમરજન્સી સર્વિસના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, બસનું એક ટાયર ફાટતાં ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે વાહન પલટી ગયું અને ખાડામાં પડી ગયું. ચકવાલ જિલ્લા આરોગ્ય સત્તામંડળ (DHA) ના મુખ્ય કાર્યકારી અધિકારી ડૉ. સઈદ અખ્તરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ અકસ્માતમાં નવ લોકો માર્યા ગયા અને 30 અન્ય ઘાયલ થયા." આઠ મુસાફરોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકોમાં બસ ડ્રાઇવર પણ સામેલ છે. ઘાયલોને ચકવાલની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઇમરજન્સી રેસ્ક્યુ સર્વિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ શામેલ છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝે અકસ્માતમાં લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી મરિયમ નવાઝે અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ પૂરી પાડવા નિર્દેશ આપ્યો છે.

સંબંધિત સમાચાર