રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા2 માર્ચ, 2026| Super Admin

ડીસાના બગીચા સર્કલ ખાતે 'હિન્દુ યુવા સંગઠન ભારત'ની બેઠક યોજાઈ

ડીસાના બગીચા સર્કલ ખાતે 'હિન્દુ યુવા સંગઠન ભારત'ની બેઠક યોજાઈ
ગૌરક્ષા માટે લેવાયા મક્કમ નિર્ધાર બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ગૌવંશના રક્ષણ અને ગૌસેવાના કાર્યોને વધુ વેગ આપવા માટે 'હિન્દુ યુવા સંગઠન ભારત' દ્વારા એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના બગીચા સર્કલ ખાતે યોજાયેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં ગૌરક્ષકો અને સંગઠનના હોદ્દેદારો ઉત્સાહભેર જોડાયા હતા. ​​આ મીટિંગમાં ગૌમાતાની રક્ષા માટે અનેક મહત્વના પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ​ગૌમાતાની હત્યા અટકાવવા માટે કાયદાકીય કડક અમલવારી થાય અને સમાજમાં જનજાગૃતિ આવે તે માટે આયોજન કરવું.આ ઉપરાંત કતલખાને લઈ જવાતા અબોલ જીવોને બચાવવા માટે સંગઠનની ટીમ દ્વારા સતત વોચ રાખવી અને ગૌતસ્કરીના બનાવો ડામવા તેમજ ગૌસેવા દરમિયાન આવતા પડકારો અને ગૌરક્ષકોની સુરક્ષા બાબતે પરામર્શ કરવામાં આવ્યો હતો. ગૌરક્ષાના અભિયાનમાં વધુમાં વધુ સ્થાનિક યુવાનો જોડાય તે માટે સંગઠનને મજબૂત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. આ ​બેઠક દરમિયાન સંગઠનના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "ગૌમાતા આપણી સંસ્કૃતિનું પ્રતીક છે અને તેની રક્ષા કરવી એ આપણી પ્રાથમિકતા છે. ડીસા કે આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં." ​આ પ્રસંગે હાજર તમામ કાર્યકર્તાઓએ અબોલ જીવોની સેવામાં હંમેશા અગ્રેસર રહેવા અને પ્રશાસન સાથે સંકલન સાધીને ગૌતસ્કરી જેવી પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટેના શપથ લીધા હતા.

સંબંધિત સમાચાર