રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા27 જુલાઈ, 2025| Super Admin

સતલાસણા તાલુકામાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો: ધરોઈ ડેમ એલર્ટ જાહેર કરવામાં આવ્યો

સતલાસણા તાલુકામાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો: ધરોઈ ડેમ એલર્ટ જાહેર કરવામાં આવ્યો
હાલ ધરોઈડેમ ખાતે ૬૧૭ ફૂટની સપાટી પર પહોંચી ગઈ હોય જુલાઈ મહિનામાં ૬૧૮ફૂટ રૂલ લેવલ રાખવા નું થતું હોય એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ધરોઈ ડેમમાં હાલ પાણી આવક ૪૬૦૦૦ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આ વર્ષે ચોમાસુ સારું એવું બેઠું છે જેના લીધે સતલાસણા તાલુકામાં સારો એવો નોંધપાત્ર વરસાદ થયો છે પરંતુ ગતરોજ ભારે વરસાદના લીધે સમગ્ર પંથકમાં ચાર ઇંચ જેટલો વરસાસ થતા ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તેવામાં ધરોઇ ડેમમાં પાણીનો જથ્થો ૮૦.૫૩% (સપાટી-૧૮૮.૦૦ મીટર/૬૧૬.૭૯ ફુટ) નોંધાયેલ છે. હાલમાં સાબરમતી જળાશય યોજનામાં ૪૬૧૧૦ ક્યુસેકની પાણીની આવક છે. ચાલુ માસે સાબરમતી જળાશય યોજનાનું રૂલ લેવલ ૬૧૮ ફુટ (૧૮૮.૩૬૬ મીટર) છે. ચાલુ માસે સાબરમતી જળાશય યોજનાના સ્રાવક્ષેત્રમાં સારો વરસાદ થાય તેમજ ઉપરવાસમાંથી પાણીની આવક ઉપર જણાવ્યા મુજબની રહે તો ધરોઇ ડેમના દરવાજા આવનારા સમયમાં ખોલવાની જરૂર જણાય તેમ છે. જેથી સાબરમતી નદીમાં ધરોઇ બંધની હેઠવાસમાં નદીમાં પાણીનો પ્રવાહ શરૂ થવાની શક્યતા રહેલી છે. હાલમાં ધરોઇ ડેમ અલેર્ટ સ્ટેજ પર હોઇ, હાલની પાણીની આવક યથાવત રહેતા આગામી ૩-૪ કલાક બાદ નદીમાં પાણી છોડવાની સંભાવના રહેલ છે, જેથી ધરોઇ ડેમના હેઠવાસમાં નદીકાંઠાના તેમજ નીચાણવાળા વિસ્તારમાં ડીઝાસ્ટર મેનેજમેંટ પ્લાન મુજબ કાર્યવાહી કરવા જણાવાયું છે.

સંબંધિત સમાચાર