- હોમ
- /Uncategorized
- /ગૃહમંત્રીની ઓફિસ સામેના મોલમાં લાગી ભીષણ આગ, બે બાળકીઓના મોત
ગૃહમંત્રીની ઓફિસ સામેના મોલમાં લાગી ભીષણ આગ, બે બાળકીઓના મોત

સુરતના પોશ વિસ્તારમાં આવેલા સિટીલાઈટ રોડ પર આવેલા ફોર્ચ્યુન મોલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોલના ત્રીજા માળે સ્થિત અમૃતયા સ્પા અને જીમમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે સ્પામાં કામ કરતી બે મહિલાઓના શ્વાસ રૂંધાવાથી ઘટનાસ્થળે જ મોત થયા હતા.
તમને જણાવી દઈએ કે આ મોલ ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઓફિસની સામે છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.
અગ્નિશામકોએ જણાવ્યું કે આગ એટલી ઝડપથી ફેલાઈ કે થોડી જ ક્ષણોમાં તે આખા સ્પામાં ફેલાઈ ગઈ અને ચારેબાજુ ધુમાડાના ગોટેગોટા ઉભરાઈ ગયા, જેના કારણે અરાજકતા ફેલાઈ ગઈ. આગમાં ફસાયેલી મહિલાઓને બચાવવા માટે ફાયર ફાઇટરોએ લોડર ક્રેનની મદદથી મોલના વેન્ટિલેટરના કાચ તોડીને અમૃતયા સ્પામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. ઘણી જહેમત બાદ તેઓ સ્પામાં પ્રવેશવામાં સફળ રહ્યા હતા અને ફસાયેલી મહિલાઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્પામાં હાજર બે મહિલાઓના ધુમાડાના કારણે ગૂંગળામણના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
