રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા3 સપ્ટેમ્બર, 2025| Super Admin

ધાન્ધાર પ્રજાપતિ સમાજે સાદગીથી લગ્ન યોજવાનો નિર્ણય કર્યો

ધાન્ધાર પ્રજાપતિ સમાજે સાદગીથી લગ્ન યોજવાનો નિર્ણય કર્યો
લગ્નમાં પ્રિવિડિંગ, હલ્દી રસમ અને સગાઇમાં રીંગ શેરીમની પર પ્રતિબંધ; પાલનપુર ખાતે 180 ધાન્ધાર પ્રજાપતિ સમાજની સાધારણ સભા મળી હતી.જેમાં સમાજના 25 માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવાની સાથે લગ્નોમાં વિવિધ રસમો પાછળ કરવામાં આવતા ખોટા ખર્ચ બંધ કરી સાદગીથી લગ્ન પ્રસંગો યોજવાનો સર્વાનુમતે ઠરાવ કરવામા આવ્યો હતો. તેમજ આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુરમાં પ્રજાપતિ સમાજની છાત્રાલય ખાતે 180 ધાન્ધાર પ્રજાપતિ સમાજની સાધારણ સભા મળી હતી જેમા સમાજના 25 માં સમૂહલગ્નની નવીન કમિટીની રચના કરી ભરતભાઈ ઘચેલિયાને બીજીવાર સમુલગ્નના પ્રમુખની જવાબદારી આપી 25 માં સમૂહલગ્નની 22 ફેબ્રુઆરી 2026 રજત જયંતી મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સમાજની 111 દીકરીઓ સમુલગ્નમાં જોડાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે લગ્નો પાછળ કરવામાં આવતા ખોટા ખર્ચ અટકાવવા માટે સમાજમાં લગ્ન પ્રસંગે પ્રિવીડિંગ અને હલ્દી રસમ તેમજ સગાઈમાં રિંગ શેરીમની જેવી પ્રથા પર પ્રતિબંધ મૂકતો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો અને કોઈ વ્યક્તિ તેનું ઉલ્લંઘન કરશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય સમાજના પ્રમુખ ભીખાભાઈ પ્રજાપતિ સહિત ઉપસ્થિત આગેવાનોની હાજરીમા લેવાયો હતો અને સમાજના ન્યાય સમિતિના પ્રમુખ મોહનભાઈ પ્રજાપતિએ સમાજના ભાઈઓમાં જમીન બાબતે તકરાર થાય તો કોર્ટે કચેરીના પગથિયાં ચડવાના બદલે સમાજના આગેવાનોની મધ્યસ્થીથી તકરારનું નિવારણ લાવવા અપીલ કરી હતી જેને સો સમજબંધુઓએ વધાવી લીધી હતી.

સંબંધિત સમાચાર